1 ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલ બજેટમાં નિર્મલા સિતારમણે ઉજ્જવલા યોજના હેઠળ 1 કરોડ વધુ ગેસ કનેક્શન આપવાનું એલાન કરવામાં આવ્યું છે.
LPG કનેક્શન મળશે ફ્રીમાં
1 કરોડ લોકો મેળવી શકશે ફાયદો
બજેટ 2021-22માં કરવામાં આવી આ વાત
નિર્મલા સિતારમણે કહ્યું કે, મફતમાં રસોઇ ગેસ એલપીજી યોજના હેઠળ વિસ્તારીત કરવામાં આવશે. વધુ એક કરોડ લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. ઉજ્જવલા યોજનામાં વર્ષ 2011ની જનગણનાના હિસાબે જે પરિવાર બીપીએલ કેટેગરીમાં આવે છે તે આ યોજનાનો લાભ લઇ શકશે.
1 કરોડ પરિવાર લેશે લાભ
જલ્દી જ એક કરોડ મહિલાઓ ઉજ્જવલા સ્કીમનો ફાયદો લઇ શકશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવનારા લોકો જ આ યોજનાનો લાભ લઇ શકશે. ઉજ્જવલા યોજના હેઠળ કુલ 8 કરોડ પરિવારને ફ્રીમાં એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય છે.
કેટલા પરિવાર મેળવે છે સહાય
ભારત સરકાર આ યોજના હેઠળ દરેક પરિવારને 1600 રૂપિયાની આર્થિક સહાય આપે છે. સાથે જ ચૂલો ખરીદવા અને પહેલી વાર સિલિન્ડર ભરાવવા માટે હપ્તા પદ્ધતિ પણ આપવામાં આવે છે.
કેવી રીતે કરશો અપ્લાય
આજે પણ ભારતમાં કેટલાક ગામ છે જ્યાં લાકડાની મદદથી ચૂલો સળગાવવામાં આવે છે અને તેના પર મહિલાઓ રસોઇ કરે છે. જેના કારણે તેમની હેલ્થ પર ખરાબ અસર થાય છે. બીપીએલ કાર્ડધારક મહિલાઓ આ યોજના માટે અપ્લાય કરી શકે છે. અરજી કરતી વખતે તમારે તેમાં જણાવવાનું રહેશે કે તમારે 14.2 કિલોનો સિલિન્ડર લેવો છે કે 5 કિલોનો. આ યોજના માટેના ફોર્મ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વૅબસાઇટથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો એલપીજી સેન્ટરથી પણ મળી જશે.