કેન્દ્ર સરકારે કોરોનાથી મોત પામેલા વ્યક્તિઓના પરિવારને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જોકે તે સિવાય 8 રાજ્યોની સરકારે પણ મૃતકોના પરિવારને સહાય આપવાની વાત કરી છે.
કોરોનાથી મોત પામેલ વ્યકિતના પરિવારને રાજ્ય સરકારની સહાય
8 રાજ્યોની સરકાર દ્વારા મૃતકોના પરિવારને સાહય કરવામાં આવશે
કેન્દ્ર સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારને 50 હજાર મળશે
સુ્પ્રિમ કોર્ટના કડક વલણ બાદ કેન્દ્ર સરકાર દ્વારા જે લોકોના કાોરોનાના કારણે મોત થયા છે તેમના પરિવારને 50 હજાર રૂપિયા આપવાનું એલાન કરવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટ દ્વારા 30 જૂનના રોજ 6 સપ્તાહમાં નિર્ણય લેવાનો આદેશ આફવામાં આવ્યો હતો. જેને લઈને કેન્દ્ર સરકારે હવે દરેક મૃતકના પરિવારને 50 હજાર આપવાની વાત કરી છે.
આંધ્ર સરકાર અનાથ બાળકોને 10 લાખ આપશે
જોકે ઘણા રાજ્યો એવા પણ છે કે જેઓ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને સાહય આપશે. જેમા આંધ્રપ્રદેશ સરકાર દ્વારા અનાથ બાળકોને 10 લાખની સહાય આપવામાં આવશે, બિહાર સરકાર મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની છે, હરિયાણા સરકાર બીપીએલ પરિવારોને 2 લાખ રૂપિયા આપવાની છે, કર્ણાટક સરકાર દ્વારા પણ 1 લાખ રૂપિયા આપવામાં આવશે, તેજ રીતે અસમ સરકાર પણ 1 લાખ રૂપિયા આપવાની છે.
ત્રિપુરા અને નાગાલેન્ડ સરકાર પણ 10 લાખ આપશે
તમિલનાડુ સરકાર દ્વારા પણ અનાથ બાળકોને 5 લાખની સહાય આપવામાં આવશે. ત્રિપુરા સરકાર દ્વારા ત્રણ હપ્તામાં 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમજ નાગાલેન્ડ સરકાર દ્વારા પત્રકારોના પરિવારને 10 લાખની સહાય આપવામાં આવશે.
સુપ્રિમ કોર્ટે 6 સપ્તાહનો સમય આપ્યો હતો
સુ્પ્રિમ કોર્ટ દ્વારા 30 જૂનના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર તેની જવાબદારીઓથી પાછળ ન હટી શકે. અરજદારોએ મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટે તે અરજી રદ કરીને કેન્દ્રને 6 સપ્તાહનો સમય આપ્યો હતો. તેમ છતા કામ ન થયું તો સુપ્રિમકોર્ટે નારાજગી દર્શાવી હતી.