હવે દેશમાં સસ્તી કિમતો પર MRI કરવાની સુવિધા મળી શકશે. મોદી સરકારે સ્વદેશી MRI મશીનો બનાવવા માટે ડિલ કરી છે. જાણો તેના વિશે...
સસ્તી કિંમતોમાં થઈ જશે MRI
સરકારે સ્વદેશી MRI બનાવવા માટે કરી ડિલ
સામાન્ય માણસને મળશે લાભ
દેશમાં મેડિકલ સુવિધાઓ આજે પણ ખૂબ જ મોંઘી છે. જો ઘર-પરિવારમાં કોઈ પણ સદસ્ય બીમાર પડે છે તો વૃદ્ધોના મગજમાં સૌથી પહેલા એક જ ખ્યાલ આવે છે કે હવે હોસ્પિટલ અને ડોક્ટર માટે ભારે ખર્ચાની વ્યવસ્થા કરવી પડશે. સાથે જ ડોક્ટર દર્દીની MRI રિપોર્ટ કરવાનું કહી દે તો તકલીફ વધી જાય છે. MRI રિપોર્ટ ખૂબ જ મોંઘો થાય છે.
પરંતુ હવે તેમાં રાહત મળવાની આશા દર્શાવવામાં આવી રહી છે. કેન્દ્રની મોદી સરકારે સસ્તી MRI ઉપલબ્ધ કરાવવા માટે એક ડિલ કરી છે. જેની મદદથી હવે ભારતમાં જ સ્વદેશી MRI મશીન બનાવવામાં આવી શકશે અને દેશની જનતાને સસ્તી MRIની સુવિધા મળી શકશે.
સીમેન્સ હેલ્થીનીયર્સની સાથે થઈ ડિલ
કેન્દ્ર સરકારના MEITY (Ministry of Electronics and Information Technology)ના Siemensની સાથે મળીને આ સંબંધમાં ડિલ કરવામાં આવી છે. તેમાં MeitYના R&D સંસ્થાન SAMEERએ ભારત MRI ટેકનીક પર સીમેંસ હેલ્થીનીયર્સની સાથે મળીને ડિલ કરી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં જ સ્વદેશી MRI મશીન બનાવવામાં આવશે. જેમાં લોકોને ફાયદો મળશે. ભારતમાં ગરીબ જનતાને જોતા MRIની ફી વધારે છે પરંતુ હવે તેમને તેનાથી રાહત મળશે.
સ્વદેશી MRIથી મળશે સસ્તો રિપોર્ટ
સ્વદેશી MRIથી દરેક ભારતીયને ફાયદો મળશે. સાથે જ સસ્તી સારવારમાં પણ લાભ મળશે. રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા-નિર્દેશથી દેશની ગરીબ જનતાને સસ્તી સારવાર અને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું છે.
તેના માટે Siemens શરૂઆતી સમયમાં 1500 કરોડથી વધારેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે ખર્ચ કરવામાં આવી રહી છે. પીએમનું સપનું છે કે લોકોને દેશમાં સારા ભાવમાં સારી સુવિધાઓ મળી શકે.
મંત્રીએ સીમેન્સ વિશે શું કહ્યું
રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે સરકાર ભારતમાં બીજી પેઢીની પ્રતિભાને તૈયાર કરવા માટે સ્વાસ્થ્ય સેવા ક્ષેત્ર નિષ્ણાંતોની સાથે બેસવા માટે તૈયાર છે. સોસાયટી ફોર એપ્લાઈડ માઈક્રોવેવ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચનું સંક્ષિપ્ત નામ સમીર છે.
તેમણે કહ્યું કે, મેગ્નેટિક રિજોનેંસ ઈમેજિંગ (MRI)અને લીનિયર એક્સિલરેટર્સમાં સ્વાસ્થ્ય દેખરેખ પ્રૌદ્યોગિકિયોમાં સમીર અને સીમેન્સ હેલ્થીનીયર્સની વિશેષજ્ઞતાનો તાલમેલ કરતા સંયુક્ત ગતિવિધિઓને આગળ વધારશે જે ભારતમાં અમઆરઆઈ સુધી પહોંચમાં સુધાર કરશે.