ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના ચિંતાજનક રીતે આંકડા વધી રહ્યા છે. જેને લઇને આરોગ્યતંત્ર દોડતું થયું છે આજે દેશમાં 123 દિવસના સૌથી વધુ દૈનિક કેસ 700 થી વધુ નોંધાયા છે. જેને લઈને નિષ્ણાતોએ આ નવા સબવેરીયન્ટ XBB 1.16 જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ આરોગ્યતંત્ર પણ હરકતમાં આવી છે અને કોરોનાના વધતા જતા કેસોને અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગમચેતીના ભાગરૂપે સરકાર દ્વારા છ રાજ્યોને પરિપત્ર જાહેર કરી અને કોરોનાના વકરતા કેસને નિયંત્રણમાં રાખવા અંગે ચેતવણી આપી દેવામાં આવી છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેસ ભૂષાણે પત્ર લખ્યો છે.જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકનો 3t ફોર્મુલા એટલે કે પરીક્ષણ,સારવાર અને ટ્રેકિંગની ઝડપી બનાવવા રસીકરણ વધારવા જણાવાયુ છે.
ચાર મહિના પછી દેશમાં 700 થી વધુ કેસ નોંધાયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા કોરોનાના આંકડા અનુસાર આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના 754 કેસ નોંધાયા છે. આ દરમિયાન 327 લોકો સ્વાસ્થ્ય થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો બીજી બાજુ એક વ્યક્તિનું કોરોના સંબંધિત લક્ષણને પગલે મોત નીપજ્યું છે. સામે પક્ષે સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં હાલ 4,623 કોરોનાના એક્ટિવ કેસ હોવાનું તથા લગભગ ચાર મહિના પછી દેશમાં 700 થી વધુ કેસ નોંધાયા જાહેર થવા પામે છે. આ આગાઉ 12 નવેમ્બરના રોજ 734 નવા કેસ નોંધાયા હતા.
તાલુકા, જિલ્લા લેવલે કાર્યવાહી કરવા તાકીદ
કોરોનાના નવા કેસની ગુજરાત અને મહારાષ્ટ્રમા ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે આરોગ્ય સચિવ દ્વારા છ રાજ્યોને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં ફેલાવો મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. આથી જોખમનું મૂલ્યાંકન કરવાની અને તેને અનુસરવાનો અભિગમ લાવવો જરૂરી બને છે. કોરોના સામે અત્યાર સુધીમાં લડતમાં મળેલી જીત ગુમાવી ન પડે તે માટે તાલુકા અને જિલ્લા કક્ષાએથી સમીક્ષા કરી અને તળિયાથી કામગીરી કરવા સૂચના અપાઈ છે.