બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / The government is misleading the farmers

આરોપ / "ખોટા નંબર જાહેર કરીને સરકાર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે"

Dharmishtha

Last Updated: 04:55 PM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે તેમનો સહારો બનાવાની જગ્યાએ સરકાર તેમને આ પરિસ્થિતિમાં ઉગવાનો રસ્તો બતાવવાની જગ્યાએ તેમને અધૂરી માહીતી આપવાનો આક્ષેપ કોંગ્રેસનાં નેતા દ્વારા કરવામાં આવ્યો છે.

  • લેખિતમાં રજૂઆત કરવાની વાતને સરકારે કેમ છુપાવી છે?
  • કોંગ્રેસનાં નેતા પાલ આંબલિયાએ સરકાર સામે સવાલો ઉઠાવ્યાં છે
  • સરકારે કેમ ખોટા નંબર જાહેર કર્યા? 

કોંગ્રેસનાં નેતા પાલ આંબલિયાએ સરકાર સામે સવાલો ઉઠાવ્યાં છે

કમોસમી વરસાદ સામે વળતર માટે રાજ્ય સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલાં ટોલ ફ્રી નંબર લાગતા નથી. જેનાં કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યાં છે. આ સ્થિતિને જોઈતાં કોંગ્રેસનાં નેતા પાલ આંબલિયાએ સરકાર સામે સવાલો ઉઠાવ્યાં છે. 

લેખિતમાં રજૂઆત કરવાની વાતને સરકારે કેમ છુપાવી છે?

પાલ આંબલિયાએ સરકાર સામે સવાલ કર્યા છે કે, સરકાર દ્વારા ખેડૂતોને કેમ અધુરી માહિતી આપવામાં આવે છે? વીમા કંપનીઓને પાકનાં નુકશાનને લઈને તેનાં વળતર માટે રૂબરૂ અરજી કરવાની વાત સરકાર દ્વારા કેમ છુપાવવામાં આવી છે? તાલુકા વિસ્તરણ અધિકારી અને વીમા કંપનીને લેખિતમાં રજૂઆત કરવાની વાતને સરકારે કેમ છુપાવી છે? સાથે જ સાથે તેમણે જણાવ્યું હતું કે, ખોટા નંબર જાહેર કરીને સરકાર દ્વારાં ખેડૂતોને ગેર માર્ગે દોરવામાં આવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Government Insurance Insurance Policy Insurance company rajkot પાક રાજકોટ વીમા કંપની સરકાર Crop insurance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ