સામાન્ય માનવીઓ પર મોંધવારીનો માર પડશે.GST કાઉન્સિલ પોતાની આગામી બેઠકમાં સૌથી નીચેના ટ્રેકસ દરને 5 ટકા થી વધારીને 8 ટકા સુધી લઇ જવા પર વિચારણા કરી શકે છે.
GSTના 5 % સ્લેબને ખતમ કરવા વિચારણા
જીવન જરૂરી કેટલીક વસ્તુઓ થશે મોંધી દાટ
જીએસટી પરિષદની આ મહિનાના અંતે બેઠક
રાજ્યના નાણામંત્રીઓની એક સમિતિ જીએસટી પરિષદને આ મહિનાના અંત સુધીમાં એક અહેવાલ આપી શકે છે.જેમાં સૌથી તળિયાના જીએસટી સ્લેબને વધારવા અને સ્લેબને તર્ક સંગત બનાવવા જેવા પગલા લેવા સુચન કરાશે.
સામાન્ય માનવીઓ પર મોંધવારીનો માર પડશે.GST કાઉન્સિલ પોતાની આગામી બેઠકમાં સૌથી નીચેના ટ્રેકસ દરને 5 ટકા થી વધારીને 8 ટકા સુધી લઇ જવા પર વિચારણા કરી શકે છે. આ સિવાય આવક વધારવા અને ખામીઓની પૂર્તતા માટે કેન્દ્રની રાજ્યો પર નિર્ભર રહેવાની વાતને ખતમ કરવા GST પ્રણાલીમાં છૂટ વાળા ઉત્પાદનોની યાદીમાં પણ ફેર બદલ કરી શકે છે.
માધ્યોમોનું માનીએ તો રાજ્યોના નાણા મંત્રીઓની એક સમિતિ જીએસટી પરિષદને આ મહિનાના અંત સુધીમાં પોતાનો અહેવાલ આપી શકે છે. જેમાં સૌથી નીચલા જીએસટી સ્લેબ ને વધારવા અને સ્લેબને તરક્ક સંગત બનાવવા જેવા કેટલાય પગલાતમ્ક સૂચનો અપાશે.
GST સ્લેબમાં બદલાવની શક્યતા
હાલમાં GSTનાં ચાર સ્લેબ છે. જેમાં ટેકસનો દર 5 ટકા, 12,18, અને 28 ટકા છે. આવશ્યક વસ્તુઓને કા તો આ ટેક્સમાં છૂટ છે અથવા તો તેને સૌથી નીચા સ્લેબમાં રખાયો છે.જ્યારે લક્ઝરી વસ્તુઓને સૌથી ઉપરનાં સ્લેબમાં રખાઈ છે.
ખબરો પર વિશ્વાસ કરીએ તો મંત્રી સમૂહ ટેક્સ નાં દર 5 ટકા થી વધારીને 8 ટકા કરવાનો પ્રસતાવ રાખી શકે છે.જેથી વાર્ષિક 1.50 લાખ કરોડ રૂપિયા વધારાની રાજકીય આવક થવાની સંભાવના છે. નીચ્વ્હ્લા સ્લેબમાં 1 ટકાનો વધારો કરવાથી વાર્ષિક 50 હજાર કરોડ રૂપિયાનો રાજકોષ વધશે.આ સ્લેબમાં બંધ પેકેટ્સનાં ખાદ્ય પદાર્થો આવે છે.
અત્યારે કોઈ પણ બ્રાંડ વગરના અને પેકેજ વગરના ખાદ્ય પદાર્થો અને ડેયરી પ્રોડક્ટ GSTનાં પરિઘની બહાર છે. GSTનાં 5 % સ્લેબમાં પેકેટ્સ બંધ ખાદ્ય પદાર્થો જેવા કે, ખાંડ, તેલ, મસાલા, કોફી, કોલસો, ચા, આયુર્વેદિક દવાઓ, અગરબત્તી, કાજૂ, મીઠાઈ, લાઈફ બોટ,માછલીની જાળ, અને કોઈ પણ બ્રાંડ વગરના ગ્રામીણ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સિવાય મીઠું ( નમક ) અને જીવન રક્ષા દવાઓનો સમાવેશ થાય છે.
આપને જણાવી દઈએ કે, GST પરિષદની બેઠક આ મહિનાના અંતે કે આવતા મહિનાની શરૂઆતમાં થઇ શકે છે. જેમાં મંત્રી સમૂહનાં અહેવાલ પર ચર્ચા થઇ શકે છે .