VPN એ લોકોની ઓળખ બદલાવીને વપરાશમાં લેવામાં આવતું નેટવર્ક છે, જે હવે સરકારનાં નવા નિયમ પછી તમારી ઓળખ અને ડેટા VPN કંપનીએ 5 વર્ષ સુધી સાચવવો પડશે.
VPN માટે સરકારના નવા નિયમ જૂનથી લાગુ
હવે તમારા VPN નાં ડેટા પણ સ્ટોર થશે 5 વર્ષ માટે
ફ્રોડને અટકાવવા માટે સરકારે લીધો નિર્ણય
શું છે નવો કાયદો VPN માટે
ભારત સરકારે VPN ને લઈને એક નવો કાયદો બહાર પાડ્યો છે જેને લઈને ઘણી VPN કંપનીઓને વિપત્તિમાં મુકાઇ ગઈ છે. ભારતની સાયબર સિક્યોરિટી CERT-in (કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) એ VPN સેવા પ્રદાતાઓને સૂચનાઓ જારી કરી છે. હવેથી તમામે ઉપભોક્તાનાં ડેટા 5 વર્ષ સુધી સ્ટોર રાખવા પડશે અને જો આવું કરવામાં નહિ આવે તો 1 વર્ષની જેલ થઇ શકે છે આ પોલીસી જૂન મહિનો પુરા થતા લાગુ કરી દેવામાં આવશે. કોઈ પણ ઉપભોક્તાએ પોતાનું એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યું હશે તો પણ તેનો ડેટા 5 વર્ષ સુધી સાચવી રાખવો પડશે.
ક્યાં પ્રકારનો ડેટા સ્ટોર રાખવા પડશે VPN કંપનીઓએ
-વેલીડ નામ
-કેટલા સમય સુધીનું સબસ્ક્રાઈબ લીધું છે
-ઇમેઇલ એડ્રેસ, IP એડ્રેસ અને ટાઇમ સ્ટેમ્પ રજીસ્ટ્રેશન વખતેનો
-ક્યાં કારણોસર VPN લીધું છે
-વેલીડ એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર
-ઉપભોક્તાની ઓનરશીપ પેટર્ન
VPN શું છે
VPN એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. VPN એક સેવા છે જેને ઇન્ટરનેટ પર અલગ-અલગ કંપનીઓ આપતી હોય છે જેના દ્વારા કોઈ પણ યુઝર પોતાના ડિવાઇસને VPN સાથે કનેક્ટ કરીને તે સુરક્ષિત રીતે ઇન્ટરનેટનો વપરાશ કરી શકે છે અને VPN દ્વારા તેનું IP એડ્રેસ બદલી નાખવામાં આવે છે અને સર્વરનું લોકેશન પણ બદલાઈ જાય છે જેને લીધે કોઈ પણ હેકર કે અન્ય તમારી ઓળખને જોઈ નથી શકતું. VPN વાપરવું આમ તો સુરક્ષિત છે.
લોકો VPN ક્યાં કારણોસર વાપરે છે ?
VPN નાં લીધે તમારી IP બદલાઈ જાય છે અને તમારી સાચી ઓળખ ત્યાં રજુ થતી નથી આ કારણે તમને કોઈ ટ્રેક અથવા તો તમને હેક ન કરી શકે. અથવા તો ઘણી એવી વેબસાઈટ કે એપ્લીકેશન છે જે તમારા દેશમાં કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવી છે અને તમારે એ વેબસાઈટ નો ઉપયોગ કરવો છે તો તમારે ફરજીયાત VPN નો ઉપયોગ કરવો પડે છે. VPNનો ઉપયોગ ઓનલાઇન બિઝનેસ કરતા વેપારી, ઓર્ગેનાઇઝેશન, સરકારી સંસ્થા, શિક્ષણ આપતી સંસ્થા અને કોર્પોરેશનમાં થાય છે. આ બધા ઉપયોગ એટલા માટે કરે છે કે તેમનો બધો ડેટા મહત્વનો હોય છે જે આ VPNથી સુરક્ષિત રાખી શકાય છે.
શું અસર પડશે આ કાયદાથી
પહેલા લોકો પોતાના ડેટા ટ્રેક ના કરી શકે એ ધ્યાનમાં રાખીને VPN સર્વિસનો ઉપયોગ કરતા પરંતુ નવો કાયદો આવતા હવે પ્રાઇવસી બાબતે સવાલ ઉઠે છે. પરંતુ CERT-in કહે છે કે આ કાયદાથી ઘણી ઇનલીગલ એક્ટીવીટીને ટ્રેક કરવામાં મદદરૂપ થશે જેવી કે બેન્કિંગ ફ્રોડ, એન્ટી સોશિયલ એક્ટીવીટી, કોઈ ટેરેર ગ્રુપનું સર્વર આ બધાને ટ્રેક કરવા મુશ્કેલભર્યા હતા પણ આ કાયદાથી એ બધાનાં IP ટ્રેક કરી શકીશું. પરંતુ ઘણી કંપનીઓને માથે ભારણ આવી શકે છે કારણ કે પોતાના સ્ટોરેજ સર્વરમાં 5 વર્ષ સુધી ડેટાને સ્ટોર કરવો પડશે.