કેન્દ્ર સરકારે 17 ખરીફ પાકના ટેકાના ભાવમાં જે વધારો કર્યો છે તેમાં તલ ટોચના ક્રમે છે. તલના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ 452 રુપિયાનો વધારો કરાયો છે.
સરકારે 17 ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યાં
સૌથી વધારે તલના ટેકાના ભાવ વધ્યાં
ક્વિન્ટલ દીઠ 452 રુપિયાનો વધારો
બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 17 ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં તલના ટેકાના ભાવમાં સૌથી વધારે ક્વિલન્ટલ દીઠ 452 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે, આને કારણે ખેડૂતોને આવક વધશે અને તેમને તેમના પાકના સારા ભાવ મળી રહેશે.
Cabinet approves MSPs for Kharif Marketing Season 2022-23: Union Minister Anurag Thakur pic.twitter.com/SIaZgb8EBF
તલના ટેકાના ભાવમાં કેટલો વધારો
2020-21 ના વર્ષમાં એક ક્વિન્ટલ દીઠ તલ પર 6855 રુપિયાના ટેકાના ભાવ મળતા હતા પરંતુ હવે સરકારે તેને વધારીને 7307 રુપિયા કર્યાં છે આ રીતે તલના ટેકાના ભાવમાં 452 રુપિયાનો વધારો આવ્યો છે.
खरीफ विपणन सत्र 2022-23 में किसानों को मिली भारत सरकार की सौगात
माननीय प्रधानमंत्री @narendramodi की अध्यक्षता में आर्थिक मामलों की मंत्रिमंडलीय समिति ने 2022-23 विपणन मौसम के लिए सभी अधिदेशित खरीफ फसलों के एमएसपी में वृद्धि को मंजूरी दे दी है pic.twitter.com/mVBBCYLYy8
વધશે ખેડૂતોની આવક
ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવતા ખેડૂતોની આવક વધશે. ખરીફ કૃષિ આવકમાં સતત બીજા વર્ષ મજબૂત થવાની આશા છે. સરકારે કહ્યું કે આ નાણાકીય વર્ષ માટે ખાતર પર સબસિડી વધારવા માટે લગભગ 2.5 લાખ કરોડ થઈ શકે છે, ખેડૂતોને વધુ સસ્તુ ખાતર મળી શકે છે.
ડાંગરના ટેકાના ભાવમાં 100 રૂપિયાનો વધારો
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં 14 ખરીફ પાક સહિત કુલ 17 પાકોની એમએસપીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પાક વર્ષ 2022-23 માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
તલના ટેકાના ભાવમાં 452 રૂપિયાનો વધારો
તલની એમએસપીમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. કુલ 452 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સનફ્લાવરની એમએસપીમાં 385 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
કયા પાકના ટેકાના ભાવમાં કેટલો વધારો
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કપાસના મધ્યમ ફાઇબરના એમએસપીમાં 354 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સોયાબીનના ટેકાના ભાવમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અડદ, મગફળી અને અરહરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષ કરતા આ વખતે મકાઈની એમએમપી 92 રૂપિયા વધુ છે. જુવાર પર 232 રુપિયા અને રાઈના પાક પર 201 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં સામાન્ય ડાંગર અને ગ્રેડ-એ ડાંગર પર 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
મોદી સરકારમાં કૃષિ બજેટ અનેકગણું વધ્યું
અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. 22 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. નાના ખેડૂતોને મજબૂત કરવા માટે 10,000 એફપીઓ ખોલવાની યોજના શરૂ કરવામાં આવી છે. અમારી સરકાર છેલ્લા 8 વર્ષથી ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવા અને તેમની કમાણી વધારવા માટે પ્રતિબદ્ધ છે. અમે માત્ર એમએસપીમાં સતત વધારો જ નથી કરી રહ્યા, પરંતુ વધુને વધુ ખરીદી પણ કરી રહ્યા છીએ. અમારી સરકારમાં કૃષિ બજેટમાં અનેકગણો વધારો થયો છે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે 1 લાખ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. અમે સિંચાઈથી લઈને ખેડૂતો માટે વીમા, જમીન આરોગ્યથી લઈને પેન્શન સુધીની તમામ બાબતો પર કામ કરી રહ્યા છીએ.