બીજી લહેર વખતે પોતાના સ્વજનને બચાવવા એકી શ્વાસે આમ તેમ દોડેલા કોરોના મૃતકના સ્વજનો સરકારે જાહેર કરેલી સહાય માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે.
અમદાવાદ કલેક્ટર કચેરીએ નથી પહોંચ્યા ફોર્મ
લોકો એકઠા થતાં કલેક્ટરની સ્પષ્ટતા
સરકારે કોઈ સૂચના કે ગાઈડલાઈન નથી આપી
કોરોનાએ ઘણા પરિવારોને વિખુટા પાડી દીધા છે. કેન્દ્ર સરકારે 50 હજાર રૃપિયની સહાયની જાહેરાત તો કરી છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ સુધી અવ્યવસ્થા સર્જાતા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.
કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં ગુજરાતમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.આવા પરિવારોને સહાય માટે કોગેસ દ્વારા સરકાર સામે બાયો ચઠાવી હતી.ત્યાર બાદ સરકારે કોરોનામાં મૃત્ય થયેલા લોકોને સહાય માટેની જાહેરાત કરી હતી. જેમાં સરકારની જાહેરાત બાદ ફોર્મ ભરવાની તારીખ 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતું.પરંતુ કોઈપણ પ્રકારની જાહેરતા કે વ્યવસ્થાના હોવાના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે..આજે કલેકટરે કચેરી ખાતે નાગરિકો ઘકકા ખાવાની નોબત આવી હતી.જેના કારણે નાગરિકો હાલાકીનો સમાનો કરવાની નોબત આવી હતી.
શહેરમાં મૃતયુ પામેલા લોકો માટે કોર્પોરેશન ઓફિસ અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટે કલેકટર કચેરીની ઓફિસમાં ફોર્મ વિતરણની જાહેરાત હતી પરંતુ તંત્રને આ મામલે હજુ સુધી કોઈ પરિપત્ર મળ્યો નથી.કોરોનાથી મૃતયુ પામેલા લોકોના પરિવાર અસમંજસમાં છે.
સરકારી જાહેરાત અને તંત્ર વચ્ચે સંકલનના અભાવના લીધે સામાન્ય નાગરિક પરેશાન થઇ રહ્યા છે.. દરેક સરકારી જાહેરતામા લોકોએ તો છેલ્લે લાંબી કતારોમાં જ લાગવું પડે છે..સરકારની જાહેરાત અતે નાગરિકો કલેકટર કચેરી કે કોર્પોરેશન ઓફિસે આંટા મારીને જવાની નોબત આવી હતી.