" સ્વચ્છ ભારત મિશન " હેઠળ અરજી કરો તમને મળશે સરકાર તરફથી 12000 રૂપિયા. આ લાભ મેળવવા શું છે પ્રક્રિયા અને કોને મળશે લાભ જોઈ લ્યો આ અહેવાલમાં
" સ્વચ્છ ભારત મિશન " અંતર્ગત ગામડાઓને સ્વચ્છ રાખવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા સરકારે એક પહેલ કરી છે. જેની હેઠળ જે લોકોના ઘરમાં શૌચાલય નથી ત્યાં શૌચાલયનું બાંધકામ કરવું. જેના માટે સરકાર 12 હજારની સબસિડી આપશે. આ યોજનાનો લાભ કોણ મેળવી શકશે અને શું શું ડોક્યુમેન્ટ જરૂરી પડશે.
લાભ કોને મળશે
- વ્યક્તિગત શૌચાલય માટે બી.પી.એલ. લાભાર્થી
- વ્યક્તિગત શૌચાલય માટે એ.પી.એલ. લાભાર્થીમાં પાંચ કેટેગરી
1. એસ.સી. / એસ.ટી. કેટેગરી
2. નાના સીમાંત ખેડૂત
3. જમીન વિહોણા ખેતમજૂર
4. શારીરિક વિકલાંગ
5. કુટુંબમાં મહિલા વડા હોય એ ઘર
કેટલો લાભ મળે છે :
- વ્યક્તિગત શૌચાલય માટે BPL તથા APL (પાંચ કેટેગરી) રૂપિયા 12000 ની સહાય આપવામાં આવે છે. જે સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
લાભ ક્યાંથી મળશે
-તલાટી-કમ-મંત્રીશ્રી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, બ્લોક કો-ઓર્ડીનેટર, સિવિલ એન્જીનીયર તથા નિર્મળ દૂત દ્વારા અરજી ફોર્મ ભરી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાએ અરજી પહોંચાડવી.
- તાલુકા પંચાયત કચેરી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના શાખા.
તમારે લાભ લેવા માટે ઓફલાઈન અરજી કરવી પડશે જે તમારા શૌચાલયના શરૂઆતના બાંધકામનો ફોટો અને પૂર્ણ થયા પછીનો ફોટો પણ જરૂરી છે એટલે આ લાભ તમને બાંધકામ પૂર્ણ થયા પછી જ મળી શકે છે. ગ્રામિણ માટે આ યોજનાનો લાભ ફક્ત ઓફલાઈન જ મેળવી શકાશે. જેના માટે કોઈ પણ પ્રકારની ઓનલાઇન અરજી કરવાની જરૂર નથી.