રાજ્યમાં વકરતા કોરોનાના કેસ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.કોરોના સ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અંગે સરકારે જવાબ આપ્યો છે.
રાજ્યમાં વકરતા કોરોનાના કેસ વચ્ચે સૌથી મોટા સમાચાર
રાજ્ય સરકારનું ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ
કોરોના સ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં થયેલી છે સુઓમોટો
જે દરમિયાન રાજ્ય સરકારે કહ્યું કે હાલ રાજ્યમાં કોઇ વિકેન્ડ કર્ફ્યૂનો વિચાર નથી તો લોકડાઉન માટે પણ રાજ્ય સરકારની કોઇ વિચારણા નથી. આ સાથએ જ બેડની અછત નહીં હોવાનો પણ રાજ્ય સરકારે દાવો કર્યો.
20 ટકા રિઝર્વ કરેલા બેડના પૈસા AMC ચૂકવશે
સરકાર વતી આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે,અમદાવાદની 142 હોસ્પિટલમાં 6 હજાર 283 બેડ ઉપલબ્ધ છે. તો ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 20 ટકા રિઝર્વ બેડ ઉપલબ્ધ છે. 20 ટકા રિઝર્વ કરેલા બેડના પૈસા AMC ચૂકવશે.
બે અઠવાડિયામાં જ 900 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરશે
સાથે જ કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર આગામી બે અઠવાડિયામાં જ 900 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરશે. જેમાં મોરબીમાં 550 બેડની 2 કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે.
રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે આપ્યો જવાબ
આ ઉપરાંત સરકારે રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે પણ જવાબ આપ્યો અને કહ્યું કે ઇન્જેક્શનની માગ ઘટતા ઉત્પાદન ઉત્પાદન ઘટાડ્યું હતું. પણ હવે માગ વધતા ઓક્સિજનનું ઉત્પાદન વધારીને 1100 મેટ્રિક ટન કરાયું છે. તો રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી સામે કડક કાર્યવાહીની સરકાર બાંહેધરી આપી છે.
શું છે અમદાવાદની પરિસ્થિતિ
ગુજરાતમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 7,410 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 73 મોત પણ નોંધાયા છે. અને 2642 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,3371 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
ગુજરાતમાં પણ વધી રહ્યું છે કોરોના સંક્રમણ
ગુજરાતમાં કોરોના સંક્રમણ થમવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે આજે ફરી કોરોનાના નવા 7 હજાર 410 કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ 73 લોકોના મોત નિપજ્યાં છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2 હજાર 524, સુરતમાં 1 હજાર 655, રાજકોટમાં 653 અને વડોદરામાં 452 કેસ નોંધાયા છે. તો છેલ્લાં 24 કલાકમાં કુલ 73 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 25, રાજકોટમાં 9 અને વડોદરામાં 7 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 4 હજાર 995 લોકોના કોરોનાથી મૃત્યુ થઇ ચૂક્યાં છે. રાજ્યમાં અત્યારે કુલ 39 હજાર 250 એક્ટિવ કેસ છે. જ્યારે 254 દર્દીઓની હાલત ગંભીર છે.
દેશભરમાં આજે 2 લાખથી વધુ નવા કેસ
ભારતમાં બુધવારે એક જ દિવસમાં લગભગ 2 લાખ નવા પોઝિટિવ કેસ આવ્યા છે. મોતમાં પણ સતત વધારો થતા નવા રેકોર્ડ બની રહ્યા છે. આ આંકડા સતત ડરાવે તેવા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં બુધવારનો એક દિવસનો સંક્રમણનો આંક 199,569 રહ્યો હતો. તો સાથે જ આ 24 કલાકમાં 1037 લોકોના મોત પણ નીપજ્યા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 14070300 થઈ છે. કોરોનાથી પીડિત લોકોને સાજા કરવાનો દર સતત ઘટી રહ્યો છે. હાલમાં રિકવરી રેટ 89.51 થયો છે.