ખેડૂતો માટે અને રિયલ એસ્ટેટ માટે સારા સમાચાર આવ્યા છે. કોરોનાને કારણે સરકારી કચેરીઓ સહિતની જમીન માપણી સુધારાની મુદ્દતમાં સરકારે વધારો કર્યો છે. આ અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે મહત્વની વાતો જણાવી હતી.
જમીન માપણી સુધારાની મુદ્દતમાં સરકારે વધારો કર્યો
31 ડિસેમ્બર સુધી ખાતેદારો જમીન માપણી સુધારાની અરજી કરી શકશે
લોક ડાઉનને કારણે અરજીનો નિકાલ ન થતાં મુદતમાં વધારો
જમીન માપણી સુધારાની મુદ્દતમાં સરકારે વધારો કર્યો છે. હવે 31 ડિસેમ્બર સુધી ખાતેદારો જમીન માપણી સુધારાની અરજી કરી શકશે. લોકડાઉનના કારણે અરજીનો નિકાલ ન થતા મુદતમાં વધારો થયો છે.
શું કહે છે મહેસૂલ મંત્રી કૌશીક પટેલ?
આ અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે સરકારને જમીનની વાંધા અરજીના નિકાલમાં અડચણ પડી રહી છે. 5 જિલ્લામાંથી સૌથી વધુ અરજીઓ આવે છે. જામનગર, દ્વારકા, બનાસકાંઠામાંથી સૌથી વધુ અરજીઓ આવી છે. ઉપરાંત સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાંથી પણ વધુ વાંધા અરજીઓ આવી છે. જેમાં 70 ટકા અરજીઓ પારીવારીક જમીનની સમસ્યાઓને લગતી છે.