ભરતી કૌભાંડને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને ગાંધીનગરનું તેડું આવ્યું છે. દિવાળી બાદ તેમને બોલાવામાં આવ્યા છે. આ કૌભાંડ મામલે હવે અમુક સભ્યો સસ્પેન્ડ થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમનાં નવા જૂનીના એંધાંણ
દિવાળી બાદ સત્તાધીશોને ગાંધીનગરનું તેડું
ભરતી કૌભાંડને લઈને સિન્ડિકેટ સભ્યો સસ્પેન્ડ થાય તેવી શક્યતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે ભરતી કૌભાંડને લઈને નવા જૂનીના એંધાંણ વર્તાઈ રહ્યા છે. દિવાળી બાદ યુનિવર્સિટીમાં મોટા ફેરફાર થવાની સંભવના છે. કારણકે ભરતી કૌભાંડને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને હવે ગાંધીનગરનું તેડું આવ્યું છે. જેથી યુનિવર્સિટીમાં હવે મોટા ફેરફાર થઈ શકે છે.
બધા સિન્ડિકેટ સભ્યોને ગાંધીનગર હાજર રહેલા સૂચના
અગાઉ સિન્ડિકેટ બેઠક યોજાઈ હતી ત્યારે ભરતી કૌભાંડને લઈને કુલપતિએ નિવેદન આપ્યું હતું કે જૂની ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યું હતું ટૂંક સમયમાં નવી ભરતી કરવામાં આવશે. જોકે હવે દિવાળી પછી બધાજ સિન્ડિકેટ સભ્યોને ગાંધીનગર હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.
સરકાર એકશન મોડમાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી કૌભાંડને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં છે. ત્યારે હવે તો આ કૌભાંડને લઈને સરકાર પણ એકશન મોડમાં જોવા મળી રહી છે. દિવાળી પછી સિન્ડિકેટ સભ્યોને બોલાવામાં આવ્યા છે. જેમા એવી શક્યતા વર્તાઈ રહી છે. કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમુક સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
સિન્ડિકેટ સભ્યો સસ્પેન્ડ થાય તેવી શક્યતા
યુનિવર્સીટીમાં થયેલા ભરતી કૌભાંડને લઈને હવે સરકાર તેમજ શિક્ષણ વિભાગ ગંભીર જોવા મળી રહ્યું છે. જેમા રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ આ મામલે કાર્યવાહીની માગ કરી છે. જેથી હવે સિન્ડિકેટ સભ્યોનું ટેન્શન વધી ગયું છે. દિવાળી બાદ સિન્ડિકેટ સભ્યોને ગાંધીનગર બોલાવામાં આવ્યા છે. જ્યા તેઓ સસ્પેન્ડ થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.
કાયદા ભવનના હેડ સામે દુષ્કર્મનો આરોપ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનું ઘર બની છે. આજે પણ અહિયા કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. જેમા ભોગ બબનાર પીડિતાએ આક્ષેપ લગાવ્યા છે કે તેને PHD પાસ કરાવી આપવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.