ચૂંટણી પહેલા સરકારે પોરબંદરના માછીમારો પ્રત્યે હકારાત્મક દાખવી, ફીશિંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા ઓ.બી.એમ. બોટ ધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય અપાશે
માછીમારોની માગ સરકારે સ્વિકારી
પોરબંદરના માછીમારોની માંગ સ્વિકારી
માછીમારોની હતી 10થી વધુ માંગો
પોરબંદર માછીમારોની માગ સરકારે સ્વિકારી છે. ચૂંટણી પહેલા સરકારે માછીમારો પ્રત્યે હકારાત્મકતા દાખવી છે. પોરબંદર માછીમારોની વર્ષો જૂની માગણી સ્વીકારવામાં આવી છે. સરકારે માછીમારોની 10થી વધુ માગણીઓ સ્વીકારી છે. નાના હોડીના મશીન માટે સબસિડી સહિતની માગણીઓ સરકારે સ્વિકારી છે. જૂનાગઢથી PMએ 21 કરોડના ડ્રેજિંગ કામનું વર્ચ્યુલ ખાતમુહૂર્ત કર્યું હતું. વેરાવળથી 36 કરોડના ખર્ચે માપલા વાળી વિસ્તારને અપગ્રેશન કામને મંજૂરી પણ આપવામાં આવી છે.
માછીમારોની માગ સ્વિકારાઈ
પોરબંદરના માછીમારોને દિવાળી પહેલા સરકારે મોટી ભેટ આપી છે. પડતર માગણીઓને લઈ સરકાર સામે લડત ચલાવતા હતા જે બાબતે આજે સુખદ નિરાકરણ આવ્યું છે. 10 જેટલી માગો સરકારે સ્વિકારી છે. બે દિવસ પહેલા જૂનાગઢ ખાતેથી વડાપ્રધાને 21 કરોડના ડ્રેજિંગ કામનું વર્ચ્યુલ ખાતમુહૂર્ત કર્યું હતું. વેરાવળ મંત્રી જીતું ચૌધરીએ 36 કરોડના ખર્ચે માપલાવાળી વિસ્તારને અપગ્રેશન કામને મંજૂરી આપવામાં આવી છે.
માછીમારોને શુ લાભ થશે
અત્યાર સુધી એક જ પંપ પરથી માછીમારોને ડીઝલ ખરીદી થતી હતી, જેની સામે માછીમારોએ મંડળી નિશ્ચિત સાત પંપ પરથી ડીઝલ ખરીદીની માંગ કરી હતી જે બાબતે રાજ્ય સરકારે હકારાત્મકતા પૂર્વક સ્વીકારી. ઓ.બી.એમ. બોટધારક માછીમારોને આપવામાં આવતો કેરોસીન સહાય તથા કેરોસીનના જથ્થામા વધારો કરાયો છે.
તેમજ ફીશિંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા ઓ.બી.એમ. બોટ ધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય આપવાની વાત સ્વિકારાઈ છે. ચૂંટણી પૂર્વે માછીમારો નારાજ હતા, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં માછીમારોની મોટાભાગની માંગો સ્વીકારતા ગુજરાત માછીમાર સમાજના પ્રમુખે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.