સુકા નારિયેળના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ 375 અને ગોળ નારિયેળના ટેકાના ભાવ રુ.300 પ્રતિ ક્વિન્ટલ કરી દેવાયા
સામાન્ય ગુણવત્તાવાળા સુકા નારિયેળના ટેકાના ભાવ વધારીને 10335 રૃપિયા કરી દેવાયા છે જે ગત વર્ષે રુ.10,300 પ્રતિ ક્વિન્ટલ હતા.
બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે ખેડૂતોની આવક વધારવા સુકા નારિયેળ અને ગોળ નારિયેળના ટેકાના ભાવમાં 52 ટકાનો વધારાનો નિર્ણય કર્યો છે.
કેબિનેટની બેઠકમાં સુકા નારિયેળના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ 375 અને ગોળ નારિયેળના ટેકાના ભાવ રુ.300 પ્રતિ ક્વિન્ટલ કરી દેવાયા છે.
નારિયેળના નવા ટેકાના ભાવથી ખેડૂતોની આવક વધશે
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં મળેલી આજની કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર્સમાં 2021 સીઝન માટે નારિયેળના ટેકાના ભાવ પર મંજૂરીની મહોર મારવામાં આવી. સામાન્ય ગુણવત્તાવાળા સુકા નારિયેળના ટેકાના ભાવ વધારીને 10335 રૃપિયા કરી દેવાયા છે જે ગત વર્ષે રુ.10,300 પ્રતિ ક્વિન્ટલ હતા.
ઉત્પાદન ખર્ચ કરતા 52 ટકા વધારે ટેકાના ભાવ
કેબિનેટના નિર્ણયની માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે સુકા નારિયેળના ટેકાના ભાવ ઉત્પાદન ખર્ચ કરતા 52 ટકા વધારે છે જ્યારે ગોળ નારિયેળના ટેકાના ભાવ ઉત્પાદન ખર્ચ કરતા 55 ટકા છે. 2021 ની સીઝન માટે નારિયેળના ટેકાના ભાવ એ સિદ્ધાંત પર આધારિત છે જેમાં નક્કી કરાયું હતું કે ટેકાના ભાવનું સ્તર સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતા ઓછામાં ઓછા દોઢ ગણા હોવા જોઈએ. બજેટ 2018-19 માં સરકારે આ ભાવ નક્કી કર્યા હતા.
ખેડૂતોની 40 વર્ષની માગ પૂરી કરી
પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે સામાન્ય રીતે બજાર ભાવ ટેકાના ભાવ વધારે હોય છે. ખેડૂતો માટે વાતચીતના દરવાજા ખુલ્લા છે અને સરકાર ખેડૂતો પ્રત્યે પૂરી સમર્પિત છે.તેમણે કહ્યું કે નારિયેળના ભાવ વધારવા માટે સ્વામીનાથનનો રિપોર્ટ લાગુ પાડવામાં આવ્યો છે. સાથે ખેડૂતોની 40 વર્ષની માગ પણ પૂરી કરવામાં આવી છે. આ ખેડૂત હિતમાં લેવામાં આવેલો મોટો નિર્ણય છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયથી કેરળ સહિત 12 રાજ્યોના ખેડૂતોની આવકમાં વધારો થશે.