બાળકો માટેની રસી ઓક્ટોબરથી માંડશે મળવા. અમદાવાદની ઝાયડસ કેડીલા કરશે એક મહિનામાં 10 મિલિયન ડોઝનું ઉત્પાદન
બાળકો માટેની વેક્સીન આગામી મહીને
કેડીલા કંપનીની વેક્સીન આવશે બજારમાં
12 વર્ષના બાળકો માટેની વેક્સીન થશે ઉપલબ્ધ
દેશભરના નાગરીકો માટે તો મોટા સમાચાર છે જ. એથી વિશેષ એવા માતા-પિતા માટે જેમના બાળકો 12 વર્ષ થી નાની ઉમરના છે. કોવીડ-19 કાળમાં નાના બાળકો માટે ઓક્ટોબર માસથી વેક્સીનેશન શરુ થઇ જશે. ગુજરાતની કેડીલા હેલ્થ કેયર કંપનીએ પોતાની ઝાયકોવીડ ( ZyCoV-D)પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે.આ વેક્સીન વિશ્વની પહેલી DNA આધારિત વેક્સીન છે જેને ગત મહીને જ ભારતીય ઔષધ નિયંત્રણ વિભાગે મંજૂરી આપી હતી.ઓક્ટોબર મહિનાથી ઝાયડસ કેડીલા કંપની એક મહિનામાં 10 મિલિયન ડોઝનું ઉત્પાદન શરુ કરશે.
એક મહિનામાં 10 મિલિયન ડોઝનું ઉત્પાદન
ભારતમાં આ એક માત્ર કંપની એવી છે જેને નાના બાળકો માટે વેક્સીનનું ઉત્પાદન કરવા માટે મંજૂરી મળી છે. દેશની વસતીના 1.4 બિલિયન નાગરીકોમાંથી 825.9 મિલિયન ડોઝ બાળકો માટે તૈયાર કરશે. ZyCoV-D વેક્સીન ત્રણ તબક્કામાં લેવાની રહેશે.જેનો પહેલો ડોઝ, 0 દિવસ, પછી બીજો ડોઝ 28 મા દિવસે, અને ત્રીજો અને છેલ્લો ડોઝ 56 માં દિવસે લેવાનો રહેશે.
ઇન્જેક્શન નહિ,ચામડી પર અપાશે રસી
આ વેક્સીન સોય રહિત છે અને સોય રહિત એવા વપરાશ 'ટ્રોપીસ'ની મદદથી અપાશે.જે બાળકોની ચામડી પર આપશે તેનાથી દર્દનો અહેસાસ સુદ્ધા નહિ થાય. દરમિયાન ભારતમાં વેસીનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.આજે જ એમ્સના ડિરેક્ટર ડો.ગુલેરીયાએ કહ્યું છેકે, હવે કોરોના મહામારી નથી રહી .
શું કહ્યું ડો.ગુલેરીયાએ ?
દેશમાં રસીકરણની ઝડપી પ્રક્રિયાના કારણે હવે કોરોના મહામારીનો ખતરો હવે લગભગ રાહતમાં પરિવર્તિત થયો છે.દેશમાં હવે કોરોના મોટું સ્વરૂપ નહિ પકડે. જો કે,તેમણે એવું પણ ઉમેર્યું છે કે,દરેક નાગરિકોને રસી નાં મળે ત્યાં સુધી સાવધાની ચોક્કસ જરૂરી છે.કોરોના હવે જલ્દી સામાન્ય બીમારી બની જશે.