નવી દિલ્હી: તાજેતરમાં જ ગેલ અને HPCLની જોઇન્ટ વેંચર કંપની અવંતિકા ગેસ લિમિટેડએ CNG પંપ નેટવર્ક વધારવાનો પ્લાન કર્યો છે. જયારે જાન્યુઆરી મહિનામાં સરકાર તરફથી પણ 100 CNG પંપ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે પબ્લિક સેક્ટર કંપનીઓ અને સરકારે આ પ્રકારની જાહેરાત કરી છે તો તમને પણ CNG પંપના વ્યવસાયમાં હાથ મારવાની તક મળી શકે છે.
જો તમે યોગ્ય સ્થળ પર CNG પંપની ડીલરશીપ લેશો તો તમને તેના દ્વારા ઘણું મોટું વળતર મળશે. દેશમાં એવા ઘણા લોકો છે જે CNG પંપની ડીલરશીપ લેના કરવા ઇચ્છે છે પરંતુ તેમને આ વિશેની પ્રક્રિયા વિશે વધુ માહિતી નથી. આજે અમે તમને જણાવીશું CNG પંપની ડીલરશીપ લેવા માટેની સમગ્ર પ્રોસેસ વિશે.
કોણ ખોલી શકે છે CNG પંપ:
CNG પંપના મલિક બનવા માટે તમારૂ ભારતીય હોવું જરૂરી છે. આ સાથે તમારી ઉમર 21થી 55 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને ઓછામાં ઓછું તમારૂ 10 પાસ હોવું ખુબ જ જરૂરી હોય છે.
તમારી પાસે હોવી જોઈએ જમીન:
- CNG પંપ ખોલવા માટે તમારી પાસે જમીન હોવી ખુબ જ જરૂરી છે. જો જમીન તમારી પોતાની ન હોય તો તમારે જમીનના માલિક પાસેથી NOC એટલે કે ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવા પડશે.
- તમે તમારા પરિવારના કોઈ સભ્યની પણ જમીન લઇ શકો છે પરંતુ તેના માટે પણ તમારે ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જરૂરી છે.
- ગીરવે લીધેલ જમીન માટે પણ agreement હોવા જરૂરી છે.
- જમીન green beltમાં ન હોવી જોઈએ.
- જમીન જો ખેતી માટે હોય તો તમારે તેને કન્વર્ઝન કરાવવું પડશે.
- ટૂંકમાં તમારી જોડે જમીન બાબતેના બધા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
કેવી રીતે કરશો Apply:
કંપનીઓ ન્યુઝ પેપર અને વેબસાઈટ પર જાણકારી આપે છે કે તેમને આ જગ્યાએ CNG પંપ ખોલવો છે. જો તમારી જમીન તે જગ્યાએ છે અથવા તો તેની આજુબાજી છે તો તમે અરજી કરી શકો છો. અરજી કરવા માટે જે તે વેબસાઈટ પર ઓપ્શન આપેલું હોય છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ જેવી કંપનીઓ અમુક સમયે CNG પંપ માટે ડીલરશીપની તક આપતી હોય છે.
જો આવી તકનો ફાયદો ઉઠાવી તમે અરજી કરો છો તો તમારે તમારૂ નામ મોબાઈલ નંબર ઈમેલ સહીત અન્ય જરૂરી ડીટેલ આપવાની રહેશે. આ ઉપરાંત તમારે સ્થળ વિશેના લોકેશનની જાણકારી આપવી પડશે. લોકેશન સિલેક્ટ થયા બાદ કંપની ખુદ તમારો સંપર્ક કરશે. ત્યારબાદ થોડા સમય પછી તમને લાયસેંસ પણ મળી જશે.