નિત્યાનંદ આશ્રમમાં બેંગ્લૂરુનાં દંપતીએ નિત્યાનંદ આશ્રમમાં તેમનાં 4 સંતાનોને ગોંધી રાખ્યાં હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે બે સંતાનોને છોડાવી લીધા હતાં. જ્યારે હજું તેમની બે દીકરીઓ આશ્રમમાં જ હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે વિદેશમાં રહેલી નિત્યાનંદિતાને વીડિયો કોલિંગ કર્યું હતું. જેમાં નંદિતાએ પોતાનું અપહરણ નહી થયાની વાત કરતાં કેટલીક ચોંકાવનારી બાબતો પણ જણાવી હતી.
ગુમ યુવતીએ વીડિયો કોલ પર પત્રકારો સાથે વાત કરી
યુવતીએ કહ્યું મારું અપહરણ કરવામાં નથી આવ્યું
જ્યારે પણ લીગલ સપોર્ટ કરવાનો રહેશે હું સપોર્ટ કરીશ
બે દીકરીઓ ગુમ હોવાની ફરિયાદ
બેંગ્લૂરુથી આવેલાં જનાર્દન શર્મા અને તેમનાં પત્ની ભુવનેશ્વરીએ નિત્યાનંદનાં આશ્રમમાંથી દીકરીઓને છોડાવવા પોલીસની મદદ લીધી છે. ત્યારે તેમના સગીર દિકરા અને સગીર દીકરી બન્નેને પોલીસે રેસ્ક્યુ કર્યાં હતા. જ્યારે તેમની બે દીકરીઓ હજુ પણ ગુમ હોવાનું જણાવતા દંપતીએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
કથિત ગુમ યુવતીએ વીડિયો કોલ કર્યો
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં એક નવા વળાંક સાથે ખુલાશો થયો છે. પોલીસે ગુમ ગણાતી ત્રિનિદાદનાં નિત્યાનંદ આશ્રમમાં રહેતી 19 વર્ષીય નિત્યાનંદિતાએ સોમવારે વીડિયો કર્યો હતો. આ વીડિયો કોલ દરમિયાન પત્રકારો પણ હાજર હતાં. જેમાં તેઓએ નિત્યાનંદિતા સાથે વાત કરી હતી.
યુવતીએ કહ્યું મારું અપહરણ નથી થયું
વીડિયો કોલ દરમિયાન નંદિતાએ જણાવ્યું હતું કે મે મારી જાતે અહીં આવવાનો નિર્ણય કર્યો છે. મારું અપહરણ નથી થયું. હું મારી મરજીથી ટ્રાવેલિંગ કરી રહી છું. હું અહીં બહું ખુશ છું. મને આ બધા વિવાદથી દુઃ ખ થઈ રહ્યું છે. તેમજ મારું કોઈ શોષણ કરવામાં નથી આવ્યું અને હું પરિવારથી ભાગી પણ નથી રહી.
જગદીશ યુવતીને હેરાન કરતો હતો
તેણે એમ પણ જણાવ્યું હતું કે અમારા ફેમિલી ઈસ્યું ચાલી રહ્યાં છે. જેનાં કારણે હું અને મારી બહેન ફેમિલીથી દુર રહીએ છીએ. બેંગ્લોરનાં જગદીશ નામનાં વ્યક્તિએ મને હેરાન કરી છે. મારી સાથે મિસ બિહેવ કરતો હતો. જગદીશએ નંદિતાની માતાનો પ્રેમી છે. જેની સાથે નંદિતાની માતા લિવઈનમાં રહે છે. જગદીશ સિવાય તેણે શંકરાનંદા નામનાં વધું એક વ્યક્તિનો પણ પોતાની વાતમાં ઉલ્લેખ કર્યો હતો.
હું જણાવી નહીં શકું હું ક્યાં છું
નંદિતાને જ્યારે તે ક્યાં છે તેવું પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે હું ટ્રાવેલ કરી રહી છું એટલે હું લોકેશન નહી આપી શકું. લીગલ સપોર્ટ કરશો તેમ પુછાતા તેણે કહ્યું હતું કે 1 નવેમ્બરે જ્યારે મારા સ્ટેટમેન્ટ માટે પોલીસે ફોન કર્યો હતો. ત્યારે મે તેમને મારું સ્ટેટમેન્ટ આપી દીધું હતું. હજું પણ જેટલી લીગલ પ્રોસેસમાં મારી જરુર પડશે હું લીગલ સપોર્ટ કરીશ. હું કોર્ટને પણ જવાબ આપીશ કે હું ક્યાં છું.
કલેક્ટરે કહ્યું જરુર જણાશે તો DPS સામે કાર્યવાહી કરીશું
અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી યુવતીઓ ગુમ થઈ હોવાનાં મામલો કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. કલેક્ટરે આ મામલે જણાવ્યું હતું કે, આ કેસમાં સમાજ કલ્યાણ અધિકારી અને DEOએ પણ તપાસ કરી છે. DPS દ્વારા ભાડા કરાર કરવામાં આવ્યો હતો. DPS દ્વારા શિક્ષક મોકલીને ભણાવવાની કામગીરી કરાતી હતી. વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે. સરકાર અને બાળઆયોગમાં તમામ રિપોર્ટ મોકલવામાં આવ્યાં છે. સ્કૂલ સામે કાર્યવાહી કરવાની થશે તો તંત્ર દ્વારા પગલા લેવાશે.