મધ્ય પ્રદેશના સાગર નજીક મઝગુવાં ગામમાં એક યુવક પિતરાઈ બહેનની ચિતા પર સૂઈ ગયો. કૂવામાં પડતા બહેનનુ મોત થયુ હતુ. સમાચાર મળતા જ 430 કિલોમીટર દૂર ધારથી તેનો પિતરાઈ ભાઈ ઘરે આવ્યો. અહીં સીધા શ્મશાન ઘાટ જઇને બળી રહેલી ચિતાને પ્રણામ કરી તેની પર ઊંઘી ગયો. આગમાં બળી જવાથી હોસ્પિટલ જતી વખતે તેનુ મોત થયુ.
મઝગુવાં ગામમાં એક યુવક પિતરાઈ બહેનની ચિતા પર સૂઈ ગયો
કૂવામાંથી પાણી ભરતી વખતે યુવતીનો પગ લપસતા કૂવામાં પડી
શ્મશાન ઘાટ બળતી ચિતાને જોઇને પિતરાઈ ભાઈ પણ ચિતા પર સૂઈ ગયો
જ્યોતિની સાથે આખરે શું થયુ હતુ?
36 કલાક બાદ પરિવારજનોએ રવિવારે સવારે બહેનની ચિતાની પાસે જ તેના પણ અંતિમ સંસ્કાર કરી દીધા. આ ગામ સાગરથી 20 કિમી દૂર છે. જ્યોતિ ઉર્ફે પ્રીતિ ગુરૂવારે સાંજે 6 વાગ્યે ખેતર પર જતી હતી. પરંતુ ત્રણ કલાક સુધી પાછી ના આવી. જ્યોતિના મોટાભાઈ શેરસિંહ ઠાકુરે જણાવ્યું કે ખેતરમાં શાકભાજી લાગી છે. જ્યોતિ સાંજે શાકભાજી લેવા માટે જતી હતી. પરંતુ મોડી રાત્રિ સુધી પરત ના આવી તો અમે વિચાર્યુ કે કોઈ બહેનપણીના ઘરે ગઇ હશે. પછી ગામમાં રાત્રે 12 વાગ્યા સુધી તપાસ કરી તો પણ જાણવા મળ્યું નહીં.
યુવતીનો મૃતદેહ કૂવામાંથી મળ્યો
શુક્રવારે સવારે 9 વાગ્યે જ્યોતિના પિતા ભોલે સિંહ ખેતર પર ગયા. તેમને શંકા હતી કે જ્યોતિ કૂવામાં ના પડી હોય તો કૂવામાં મોટર લગાવીને પાણી ખાલી કરાવ્યું. બે કલાક બાદ 11 વાગ્યે કૂવામાં જ્યોતિના કપડા દેખાતા પોલીસને સુચના આપવામાં આવી. પોલીસે જ્યોતિના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો અને પીએમ માટે મોકલ્યો. જેની માહિતી જ્યોતિના ધારમાં રહેતા પિતરાઈ ભાઈ કરણ ઠાકુરને મળી તો તે બાઈક દ્વારા સાગર માટે નિકળી પડ્યો.
જ્યોતિના શુક્રવારે સાંજે થયા અંતિમ સંસ્કાર
બહેરિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દિવ્ય પ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું, પોસ્ટમોર્ટમ બાદ જ્યોતિનો મૃતદેહ પરિવારજનોને શુક્રવારે સાંજે સોંપી દીધો. ત્યારબાદ પરિવારજનોએ ગામની પાસે શ્મશાનઘાટમાં તેની અંતિમ વિધિ કરાવી. ઈન્ચાર્જ દિવ્ય પ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું કે 21 વર્ષની જ્યોતિ ઉર્ફે પ્રીતિ કૂવામાંથી પાણી ભરી રહી હતી. પગ લપસી જવાના કારણે તે કૂવામાં ખાબકી અને ડૂબવાથી તેનુ મોત થયુ.