અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરી ખુલ્લી મુકાઈ છે. ગુજરાત ડે નિમિત્તે ધ ગીર ગેલેરી ખુલ્લી મુકવામાં આવી છે.
ધ ગીર ગેલેરીનું લોકાર્પણ
અમદાવાદ એરપોર્ટ ઉપર ખુલ્લી મુકાઈ ગેલેરી
ડોમેસ્ટિક ટર્મિનલની બહાર થયું નિર્માણ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરી ગુજરાત દિવસ નિમિત્તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ખુલ્લી મુકાઈ હતી. એશિયાટિક સિંહોનું વિશ્વનું એકમાત્ર નિવાસસ્થાન એ છે સાસણ ગીર.
ત્યારે આ ધ ગીર ગેલેરીની સાસણ ગીરની પ્રતિકૃતિ છે. અગાઉ પણ રિલાયન્સ દ્વારા વર્ષ 2018માં ‘ધ ગીર’નું નિર્માણ કરાયું હતું. ત્યારબાદ તેને ડિપાર્ચર વિસ્તારની બહાર ખસેડીને તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આનો લાભ વિદેશ સફરે જનારા અને એરપોર્ટ પર આવનાર તમામને તેનો લાભ મળશે.
વન્યજીવ પ્રેમી રાજ્યસભા સાંસદ અને RILના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણી દ્વારા અદાણી એરપોર્ટ હોલ્ડીંગના ડાયરેક્ટર જીત અદાણી અને RILના કોર્પોરેટ અફેર્સ વિભાગના પ્રેસિડેન્ટ હેમંત દેસાઈની ઉપસ્થિતિમાં 1 મે 2022ના રોજ ગુજરાત સ્થાપના દિનના પ્રસંગે કરવામાં આવ્યું હતું.
RIL સામાજિક વિકાસનાં કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 8000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. જેમાં સાસણ ગીરમાં જોવા મળતાં પ્રાણીઓ અને પક્ષીઓ પ્રતિકૃતિ મૂકાઈ છે.
જેમ કે સિંહ, ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ અને અજગર સહિતની અલગ અલગ પૂર્ણ કદની આશરે 60 પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. પ્રસિધ્ધ ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે તેથી તેની પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સૂકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે એરપોર્ટના સૌંદર્યકરણ માટે રિલાયન્સ દ્વારા ઘણો મહત્વનો ફાળો આપ્યો હતો. ધ ગીર પ્રોજેક્ટથી એરપોર્ટની સુંદરતામાં વધારો થશે અને સાથે-સાથે એરપોર્ટની મુલાકાત લેનારા લોકોને મનોરંજન સાથે માહિતી મળશે.
Inaugurated ‘The Gir’ gallery, a miniature replica of Sasan Gir at SVPI airport Ahmedabad with @Jeet_Adani1 & Hemant Desai. Developed & maintained by #RelianceIndustries, the gallery spread over 8000 sq ft having 60 models of animals is designed to promote Gir, pride of Gujarat pic.twitter.com/YxnqauI8AV