કૃષિ કાયદામાં પરિવર્તનની માંગ માટે ખેડૂતો રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શન યોજવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે, મંગળવારે 300 થી વધુ ખેડૂત સંગઠનોની દિલ્હીના રકબગંજ ગુરુદ્વારામાં બેઠક યોજાવાની છે અને રાષ્ટ્રીય સ્તરે આંદોલનની રૂપરેખાને અંતિમ સ્વરૂપ અપાશે.
દિલ્હીમાં યોજાશે 300થી વધુ ખેડૂત સંગઠનોની બેઠક
ખેડૂતો અને સરકાર વચ્ચે સર્વસંમતિ મેળવવાના પ્રયાસો નિષ્ફળ ગયા
ખેડૂતોની માંગણી, દરેક બજારમાં લઘુત્તમ ભાવ મળવા જોઈએ
આ બેઠકમાં દેશભરમાંથી ખેડૂત સંગઠનોને ભાગ લેવાની હાકલ કરવામાં આવી છે, જેથી આંદોલનને વિસ્તૃત રૂપ મળી શકે. ખેડૂતો અને સરકાર વચ્ચે સર્વસંમતિ મેળવવાના અગાઉના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
ખેડૂત સંગઠનોની છે વિવિધ માંગણીઓ
સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડૂત સંગઠનો લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થાને કાયમી કરાવવા માંગે છે. આસિવાય ખેડૂત સંગઠનો ઈચ્છે છે કે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ, ખુલ્લા બજારમાં પાકની ખરીદીને અનુમતિ આપવા અને જરૂરી વસ્તુઓના સંગ્રહ પરથી પ્રતિબંધ હટાવવાની રીતે APMC મંડળીઓને સમાપ્ત ન કરવામાં આવે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ખેડૂત સંગઠનોની માંગણી છે કે તેમણે દરેક બજારોમાં ટેકાના ભાવની ખરીદીનો વિકલ્પ મળવો જોઈએ, ઓપન માર્કેટ કે જ્યાં ખાનગી લોકો ખરીદી કરે છે ત્યાં પણ સરકાર ટેકાના ભાવે ખરીદી દાખલ કરવાથી કેમ બચી રહી છે તે સમજાતું નથી જ્યારે કે સરકારે તો અહીં કોઈ પણ ચૂકવણી કરવાની નથી. સરકારનો આ નિર્ણય ખેડૂતો પ્રત્યે સરકારની ભાવના અંગે મનમાં શંકા ઉપજાવે છે.
ખેડૂતોને ડર છે કે હવે તેમને મફત વીજળી નહીં મળે
તેમણે કહ્યું કે કૃષિ કામગીરીમાં વીજળીનો મોટો ખર્ચ છે. ઘણા રાજ્યો તે વિના મૂલ્યે ખેડૂતોને ઉપલબ્ધ કરાવાય છે, પરંતુ ખેડૂતોને ડર છે કે કેન્દ્રની નવી દરખાસ્તો લાગુ થયા પછી કોઈ પણ રાજ્ય ખેડૂતોને મફત વીજળી આપી શકશે નહીં. તેનાથી તેમની કૃષિ ખાધમાં વધુ વધારો થશે. ખેડૂતો આ વિવાદિત પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ બેઠકમાં દરેક ખેડૂત સંગઠન દ્વારા વધુમાં વધુ બે પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે જેથી કોરોના સંક્રમણના જોખમ વચ્ચે ઓછામાં ઓછી સંખ્યામાં સલામતીનાં પગલાં અપનાવીને બેઠક પૂર્ણ કરી શકાય. મીટિંગ દરમિયાન માસ્ક પહેરવાનું ફરજિયાત છે.