બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાતના આ મંદિરે થાળીમાં કંકુનો ઉંધો સાથિયો કરવાની માન્યતા, થાય છે દરેક મનોકામના પૂર્ણ
Last Updated: 07:08 AM, 19 July 2024
હિન્દુ ધર્મમાં કોઈપણ શુભકાર્યની શરૂઆત ગજાનંદ ગણપતિના આશીર્વાદથી કરવામાં આવે છે. ભાવિકોમાં ગણપતિદાદાની અનેરી આસ્થા રહેલી છે. સમગ્ર ભારતભરમાં ગજાનંદ ગણપતિની આસ્થા અતૂટ છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં ગણપતિનું સુંદર મંદિર આવેલું છે. સરદાર પટેલ સેવાદળ ટ્રસ્ટ દ્વારા આ મંદિરની ૨૦૦૬માં સ્થાપના કરવામાં આવી હતી. મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવે છે. વર્ષો પહેલા ગણેશ પંડાલમાં ગણપતિ બેસાડવામાં આવતા હતા.
ADVERTISEMENT
ગણપતિદાદામાં અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિક ભક્તો પહેલા ગણપતિજીના દર્શન કરવા શહેર વિસ્તારમાં જતા હતા. 18 વર્ષ પહેલા વસ્ત્રાપુરમાં ગણપતિજીનું મંદિર બનાવવામાં આવ્યા બાદ ભાવિકો પરિવાર સાથે મહાગણપતિજીના દર્શન કરવા આવી ધન્યતા અનુભવે છે.
ADVERTISEMENT
ગણેશ મંદિરમાં ભગવાન ગણેશજીની સાથે રીધ્ધી અને સિધ્ધી પણ બિરાજમાન છે. ગણેશ મંદિરમાં ભગવાન ગણેશના દર્શનની સાથે અન્ય શ્રદ્ધા સ્થાનો પણ છે. મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત છે. જયારે મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારે ગણેશપુરાથી અખંડ જ્યોત લાવામાં આવી હતી.
મંદિરમાં જમણી બાજુ હનુમાનજી બિરાજમાન છે. ડાબી બાજુ લક્ષ્મીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે.વિવિધ પ્રકારની કોતરણીવાળી ડીઝાઇનથી મંદિરને સુંદર શણગારવામાં આવ્યુ છે. જે ભાવિકો મુંબઈના પ્રસિદ્ધ સિધ્ધીવિનાયક મંદિરના અષ્ટવિનાયક ગણપતિના દર્શન કરવા જઈ નથી શકતા તે લોકો વસ્ત્રાપુરના મહાગણપતિ મંદિરમાં સ્થાપિત કરેલ અષ્ટવિનાયક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવે છે. છેલ્લા 18 વર્ષથી મહાગણપતિ મંદિરમાં લોકો દુર દુરથી દર્શન કરવા આવે છે, અને ગણપતિદાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે.
મંગળવારે મહાગણપતિના મંદિરે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગજાનંદ ગણપતિને પ્રસાદ રૂપે ચુરમાના લાડુ, જાસુદના ફૂલ અને ધરો ચડાવવામાં આવે છે. અને ધરોની પ્રસાદી ચઢાવ્યા બાદ ભક્તોને પીરસવામાં આવે છે. ગણેશ મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે. દાદાના આશીર્વાદ સદાય તેમના ભક્તો પર રહે છે અને એટલે જ ભાવિકોની ગણપતિજી પર અતૂટ શ્રદ્ધા છે.
મહિલાઓ પોતાની માનતા માટે મંદિરે થાળીમાં કંકુનો ઉંધો સાથિયો બનાવે છે અને ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરે છે અને જ્યારે માનતા પૂર્ણ થાય ત્યારે મંદિરે આવી દર્શન કરી તે જ થાળીમાં કંકુનો સીધો સાથિયો બનાવી માનતા પૂર્ણ કરે છે. અનેક ભાવિકોની બાધા ગણપતિદાદાના આશીર્વાદથી પૂર્ણ થઈ છે. જેના કારણે દિવસેને દિવસે મહા ગણપતિના મંદિરની આસ્થા ભક્તોમાં વધી રહી છે. ગણપતિદાદા મંદિર ટ્રસ્ટ દ્વારા સર્ગભા મહિલાઓ માટે વિશેષ સેવા કરવામાં આવે છે. સર્ગભા મહિલાઓને પુરતું પોષણ મળે તે હેતુથી એક કીટ આપવામાં આવે છે.
રસ્તાપરથી પસાર થતા હોય અને ગણેશજીના દર્શન કરી પોતાના કામકાજે જઈ શકે તે પ્રકારની મંદિરની ડીઝાઇન બનાવવામાં આવી છે. ભાવિકો ગણેશજીના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને ધન્યતા અનુભવે છે.
આ પણ વાંચોઃ આજે ગણપતિનો 'મંગળ'વાર: કરો જમણી સૂંઢના ગણપતિના દર્શન, ખેતરમાંથી મળ્યું હતું સ્વરૂપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.