તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ફળ ખાવાથી અઢળક ફાયદા થાય છે. શું દરેક ફળ ખાવાથી શરીરને ફાયદો થાય છે? દરેક ફળમાં અલગ-અલગ ગુણ હોય છે. કોઇ ફળમાં શુગરની માત્રા વધુ હોય છે તો કોઇમાં ઓછી. કેટલાક ફળ તેમાં રહેલી શુગર અને કાર્બોહાઇડ્રેડની વધારે માત્રાની કારણે અસ્વસ્થ શરીરને વધારે નુકસાન પહોચાડી શકે છે.
ફળોને લઇને બે ડાયટિશિયન રશેલ હાર્ટલ અને જોર્ઝી ફિયરે જાણકારી આપી છે. જો તમે બેલેન્સ ડાયટ લો છો તો તમારે એ જાણવું જરૂરી છે કે શુગર અને કાર્બોહાઇડ્રેડના કારણે કયા ફળ તમારા શરીરને નુકસાન પહોચાડી શકે છે.
હાર્ટલનું કહેવું છે કે કેરી અને અંજીર જેવા ફળમાં પ્રાકૃતિક રીતે શુગરની માત્રા વધારે હોય છે. આ બંને ફળોમાં ક્રૈનબેરી અને બ્લેકબેરીથી વધારે માત્રામાં શુગર હોય છે પરંતું એનો મતલબ એ નથી કે આ ફળો તમને ડાયટથી બહાર કરી દેશે.
ફળોમાં જે શુગરની માત્રા હોય છે તે પ્રાકૃતિક રીતે હોય છે. આ ઉપરાંત ફળોમાં ફાઇબર પણ હોય છે. જેના કારણે આસાનીથી પચી જાય છે. તે આપણા પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે. ફળોમાં બે પ્રકારના ફાઇબર હોય છે. સોલ્યુબલ અને અનસોલ્યુબલ દ્રાક્ષ વગરના મોટાભાગના ફળોમાં ફાઇબરની માત્રા સાથે શુગરનું સ્તર પણ હોય છે. દ્રાક્ષમાં શુગરની માત્રા બિલકુલ ઓછી હોય છે.