ભારત બાદ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને બુધવારનાં રોજ પોતાની સીમાની નજીક સ્થિત શિખોનાં પવિત્ર ધાર્મિક સ્થળ કરતારપુર કોરિડોરનું શિલાન્યાસ કર્યું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પંજાબનાં કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ પણ ત્યાં પહોંચ્યાં છે.
આ સિવાય કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરી અને હરસિમરત કૌર બાદલ અટારી-વાઘા બોર્ડરથી આ કાર્યક્રમમાં શામેલ થવા પાકિસ્તાન પહોંચ્યાં. આ મોકા પર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે હું આ યાત્રાનો ભાગ બનીને ખૂબ આનંદ અનુભવુ છું. વર્ષો બાદ આજે મેં કરતારપુર સાહેબનાં દર્શન કરીશ અને એટલાં માટે હું બંને દેશોનો આભારી છું.
ત્યાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બુધવારનાં રોજ કહ્યું કે કરતારપુર ગલિયારા પહેલનું પાકિસ્તાન સાથેની વાતચીત સાથે કોઇ જ લેવાદેવા નથી અને પાકિસ્તાન જ્યારે ભારતમાં આતંકવાદી ગતિવિઘિઓ બંધ કરી દેશે ત્યારે તેનાં સાથે વાતચીત શરૂ થશે.
ભારત આ ગલિયારાની લાંબા સમયથી માંગ કરતુ રહ્યું છે કે જેનાંથી ભારતીય શિખ શ્રદ્ધાળુ વગર વિઝાએ કરતારપુરમાં ગુરૂદ્વારા દરબાર સાહેબ સુધી અવર-જવર કરી શકે. સ્વરાજે કહ્યું કે તેઓને એ વાતની ખુશી છે કે પાકિસ્તાને પહેલી વાર સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે "પરંતુ આનો અર્થ એ નથી કે આ પગલું દુનિયાભરથી દ્વિપક્ષીય વાર્તા શરૂ થઇ જશે. આતંક અને વાતચીત સાથે-સાથે ના ચાલી શકે."
વિદેશ મંત્રી તેલંગાનામાં 7 ડિસેમ્બરનાં રોજ યોજાનાર વિધાનસભા ચૂંટણીનાં પહેલા પ્રચાર માટે અહીંયા છે અને તે સંવાદદાતાઓને સંબોધિત કરી રહી હતી. તેઓએ કહ્યું કે "જે ક્ષણે પાકિસ્તાન ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ બંધ કરી દેશે વાતચીત શરૂ થઇ શકે છે પરંતુ વાતચીત માત્ર કરતારપુર ગલિયારા સાથે જોડાયેલ નથી."
Pakistan PM Imran Khan Pakistan Army Chief General Qamar Javed Bajwa Union Ministers Harsimrat Kaur Badal Hardeep Singh Puri and Navjot Singh Sidhu at the ground-breaking ceremony of #KartarpurCorridor in Pakistan. pic.twitter.com/x9JhFLWZ1t