કોરોના મહામારીમાં દેશમાં કરોડપતિની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો હોવાનું હુરુન ઈન્ડીયાના રિપોર્ટમાં જણાવાયું છે.
હુરુન ઈન્ડીયાના રિપોર્ટમાં દાવો
કોરોના મહામારીમાં ભારતમાં વધી કરોડપતિઓની સંખ્યા
ખુશ રહેનાર લોકોની સંખ્યામાં આવ્યો ઘટાડો
કોરોના મહામારીમાં એક બાજુ સેંકડો લોકોએ નોકરી ગુમાવવી પડી જ્યારે બીજી બાજુ એવા ઘણા લોકો છે જેમની સંપત્તિમાં ખૂબ મોટો વધારો જોવા મળ્યો છે. હુરુન ઈન્ડીયાના રિપોર્ટમાં જણાવાયું કે કોરોના મહામારીથી પ્રભાવિત વર્ષ 2021માં ભારતમાં ડોલર મિલિયનરી એટલે કે સાત કરોડથી વધારે ખાનગી સંપત્તિવાળા લોકોની સંખ્યા 11 ટકા વધીને 4.58 લાખ થઈ ગઈ.
ખાનગી સંપત્તિવાળા લોકોની સંખ્યા 11 ટકા વધીને 4.58 લાખ
હુરુન ઈન્ડીયાના રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે કોરોના મહામારીમાં ખાનગી સંપત્તિવાળા લોકોની સંખ્યા 11 ટકા વધીને 4.58 લાખ થઈ છે અને આગામી વર્ષમાં હજુ પણ વધવાની સંભાવના છે.
મહામારીમાં જે લોકો તનતોડ મહેનત કરતા રહ્યાં તેઓ બન્યાં કરોડપતિ
કોરોના મહામારીમાં કેટલાક એવા લોકો પણ હતા કે જેઓ આવી સ્થિતિમાં પણ તનતોડ મહેનત કરતા રહ્યાં હતા અને આખરે તેમને તેમના કામનું ફળ પણ મળ્યું અને તેમની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો.
2016 સુધી વધીને 5 લઆખ થઈ જશે ડોલર મિલિયનરી
હુરુન ઈન્ડીયાના રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે વર્ષ 2026 સુધી ભારતમાં ડોલર મિલિયનરીની સંખ્યા 30 ટકાથી વધીને છ લાખ સુધી પહોંચી જશે. રિપોર્ટ અનુસાર મુંબઈમાં સૌથી વધારે 20,300 ડોલર મિલિયનરી છે ત્યાર બાદ દિલ્હીમાં 17,400 અને કોલકાતામાં 10,500 ડોલર મિલિયનરી પરિવાર છે.
ખુશ રહેનાર લોકોની સંખ્યામાં થયો ઘટાડો
આ સમય દરમિયાન વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં પોતાને સુખી ગણાવનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોતાને ખુશ ગણાવનારા લોકોની સંખ્યા ગયા વર્ષે ઘટીને 66 ટકા થઈ ગઈ છે, જે 2020માં 72 ટકા હતી.
ભારતમાં વધી રહી છે ગરીબી અને અમીરી વચ્ચેની અસમાનતા
હુરુન રિપોર્ટના તારણો એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભારતમાં અમીર અને ગરીબ વચ્ચે વધી રહેલી અસમાનતાને લઇને ચિંતા વધી રહી છે. ઓક્સફેમના તાજેતરના અહેવાલમાં પણ આ અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યંત ધનાઢ્ય લોકો પર વધુ કરવેરા લાદવાની સતત વધતી જતી માંગ વચ્ચે, સર્વેક્ષણ કરાયેલા લોકોમાંથી એક તૃતીયાંશ કરતા પણ ઓછા લોકો માને છે કે વધુ કર ચૂકવવો એ સામાજિક જવાબદારીનું એક વ્યાખ્યાયિત તત્વ છે.