રાજ્યના 20 શહેરમાં કર્ફ્યૂની કડક કાર્યવાહી કરતી પોલીસે ભાવનગરના પૂર્વ મેયરને રાત્રી સમય બહાર ન નિકળવાના આદેશને લઈ પરત ઘરે મોકલ્યા
પૂર્વ મેયર મનહર મોરી કર્ફ્યુના સમયે પોલીસની ઝપેટે
ભાવનગરમાં આજથી થયો છે રાત્રી કર્ફ્યુનો કડક અમલ
ઘોઘાગેટ પાસેથી પસાર થતા પોલીસ વડાએ રોક્યા
ભાવનગરમાં રાત્રિ કફર્યૂનો કડક અમલ ચાલી રહ્યો છે. ત્યારે રાત્રિ કફર્યૂની અમલવારી વખતે પૂર્વ મેયરને પોલીસે રોક્યા હતા. પૂર્વ મેયર મનહર મોરીને પોલીસે ઘરે પરત પણ મોકલ્યા છે. ભાવનગરના ઘોઘાગેટ પાસેથી પસાર થતાં સમયે પૂર્વ મેયર મનહર મોરીને રોક્યા હતા. રાજ્ય સરકારના આદેશ બાદ 20 શહેરોમાં રાત્રિ કફર્યૂનો કડક અમલ થઈ રહ્યો છે. કોરોનાના વધતા કેસને લઇને સરકાર દ્વારા નિર્ણય કરાયો છે.
તો આ તરફ વડોદરામાં રાત્રિ કર્ફ્યૂને લઈને પોલીસ સક્રિય થઈ છે. વડોદરા પોલીસ દ્વારા રાત્રિ કર્ફ્યૂનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. ખોટી રીતે બહાર નિકળનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. કાલાઘોડા, રાવપુરા, કારેલીબાગ,દાંડિયા બજાર અને માંડવી બજારમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તો વ્યવસ્થાના નિયમન માટે પોલીસ કમિશનર પણ નિકળ્યા અને કર્ફ્યૂનું પાલન કરવા લોકોને અપીલ કરી.
અમદાવાદમાં પણ રાત્રિ કફર્યૂના નિયમનું કડક પાલન કરાવવામાં આવ્યું છે. પોલીસે રાત્રિ કફર્યૂના નિયમનું કરાવ્યું કડક પાલન કરાવી રહી છે. સિંધુ ભવન રોડ પર સઘન પોલીસ બંદોબસ્ત છે. આવતાં જતાં વાહનચાલકોની પૂછપરછ થઈ રહી છે. યોગ્ય કારણ વિના નિકળતા લોકોને દંડ પણ કરવામાં આવ્યો છે. સાથે રોડ પર બેરિકેડ લગાવવી બંધ કરવામાં આવ્યા હતા. આણંદ શહેરમાં રાત્રી કફર્યૂની અમલવારી શરૂ કરી દેવાઈ છે. રાત્રે 8થી સવારે 6 સુધી કફર્યૂ લાગુ કરાશે. જેમાં પેટ્રોલપંપ અને ગેસ સ્ટેશનોને જાહેરનામામાંથી મુક્તિ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.