ભાજપના દિગ્ગહ મહિલા નેતાઓમાં સ્થાન ધરાવતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ હાલમાં તેમને ઋષિકેશ AIIMS હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે , આ બાબતે તેમણે જાતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
ભાજપના દિગ્ગજ નેત્રી ઉમા ભારતી ને થયો છે કોરોના
હાલમાં ઋષિકેશ AIIMS હોસ્પીટલમાં કરાયા છે ભરતી
તેમણે પોતે ટ્વીટ કરીને લોકોને આપી હતી આ માહિતી
આ બાબતે ઉમા ભારતી ટ્વીટ કરીને કહ્યું હતું કે "જો તેમની તબિયત ઠીક હશે તો તેઓ થોડા સમયમાં લખનૌ સ્થિત CBI ની અદાલતમાં હાજર રહેશે" આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન તેમના માટે ઘણી ચિંતા કરી રહ્યા છે."
मैं अभी-अभी एम्स ऋषिकेश में भर्ती हो गई हूं। इसके तीन कारण है- (1) @drharshvardhan जी बहुत चिंता कर रहे हैं, (2) मेरे को रात में बुखार बढ़ गया, (3) मेरी एम्स में जांच-पड़ताल होने के बाद यदि मुझे सकारात्मक रिपोर्ट मिली तो मैं परसों लखनऊ की सीबीआई कोर्ट में पेश होना चाहती हूं।
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતી કોરોના વાયરસથી પીડિત છે. સોમવારે ઉમા ભારતી ને ઋષિકેશ ની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉમા ભારતી એ પોતે આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એક રીપોર્ટ પ્રમાણે તેઓ ઉત્તરાખંડ ભાજપ સરકારમાં મંત્રી ધનસિંહ રાવત સાથે તે કેદારનાથ યાત્રા કરવા ગઈ હતી, તેમણે ત્રણ દિવસથી તાવ હતો એટલે ડોક્ટરોએ તેમણે યાત્રા કરવાની ના પડી હતી, છતાં તે યાત્રા પર ગઈ હતી અને તેને બાદ બદ્રીનાથ ની યાત્રા પર પણ ગઈ હતી.
२) मैंने हिमालय में कोविड के सभी विधिनिषेध एवं सोशल डिस्टंस का पालन किया फिर भी मै अभी क़ोरोना पोज़िटिव निकली हू ।
એક ટ્વીટ માં તેમણે જણાવ્યું હતું કે તેમણે યાત્રા પરથી પાછા ફરતાની સાથે જ ડોકટરોને તેની તપાસ કરવા માટે કહ્યું હતું અને તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ સાથે જ તેમના સાથી અને ઉત્તરાખંડ સરકારમાં મંત્રી ધનસિંહ રાવત નો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.
ઉમા ભારતી એ કોરોના સંક્રમિત થવાના ગણાવ્યા હતા ત્રણ કારણ
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે મને AIIMS ઋષિકેશમાં દાખલ કરવામાં આવ્યો છે, તેના ત્રણ કારણો છે. મને લઈને આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન ખૂબ જ ચિંતિત છે, મને ગઈરાત્રે તાવ આવ્યો હતો. એઇમ્સમાં મારી તપાસ બાદ જો મને સકારાત્મક અહેવાલ મળે, તો હું બીજા દિવસે પણ લખનઉની CBI કોર્ટમાં હાજર થવા માંગુ છું.
નોંધનીય છે કે 30 સપ્ટેમ્બરના રોજ લખનૌ ની CBI કોર્ટ બાબરી મસ્જીદ ધ્વંસ કેસમાં પોતાનો ચુકાદો આપશે. આ કેસમાં ઉમા ભારતી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 30 થી વધુ લોકો આરોપી છે.
४) मेरे इस ट्वीट को जो भी मेरे संपर्क में आये हुए भाई- बहन पढ़े या उन्हें जानकारी हो जाये उन सबसे मेरी अपील है की वो अपनी कोरोना टेस्ट करवाये एवं सावधानी बरते ।
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી લાંબા સમયથી ઉત્તરાખંડ માં રહ્યા હતા, જ્યાં એક વાર તેઓ પડી ગયા હતાં અને તેણીને સામાન્ય ઈજા થઈ હતી. ઉમા ભારતી વતી ટ્વીટ કરીને અપીલ કરવામાં આવી હતી કે જે કોઈ તેમના સંપર્કમાં આવ્યા હોય તેમને પણ કોરોનાનું ટેસ્ટીંગ કરાવી લેવું જોઈએ.