જ્યોતિષશાસ્ત્રની ઘણી વિદ્યાઓ છે. જેનાથી લોકો પોતાના ભવિષ્ય વિષે જાણી શકે છે. તેમાં હસ્તરેખા એક મહત્વની વિદ્યા છે.
હાથમાં આવું નિશાન હશે તો આવશે સંકટ
હથેળીમાં રહેલા નિશાનથી થઇ જાઓ સાવધાન
હસ્તરેખાશાસ્ત્ર પ્રમાણે જાણો શું છે સંકટ
હાથની રેખાઓ અને આકૃતિઓ ભવિષ્યની સારી અને ખરાબ બંને ઘટનાઓનો સંકેત આપે છે. હાથમાં બનનારું એક નિશાન ખુબ અશુભ હોય છે. જો આ જગ્યાએ આવું નિશાન હશે તો તમારા જીવન પર ખરાબ અસર પડશે.
હથેળીમાં જાળનું નિશાન
હસ્તરેખા વિજ્ઞાન અનુસાર જો કોઇની હથેળીમાં મગંળ પવર્ત પર જાળનું નિશાન હોય તો તેને અશુભ માનવામાં આવે છે. આ નિશાન વ્યક્તિની માનસિક સ્થિતિ પર ખરાબ અસર નાંખે છે. જો આ નિશાન હાથમાં પહેલેથી જ બનેલુ હોય તો જાતકે ઇષ્ટદેવની આરાધના અને દાન આપવાનું શરૂ કરી દેવું જોઇએ,
આ જ રીતે શનિના પર્વત પર જાળનું નિશાન બનેલુ હોય તો તે પણ અશુભ માનવામાં આવે છે. આ જાતકો આળસુ હોય છે અને તેમના દરેક કામમાં મુશ્કેલી આવશે.
કેતુ પર્વત પર જાળનું નિશાન હોવાનું જાતકની ખરાબ તબિયત સૂચવે છે. આવા વ્યક્તિઓને ખુબ રોગો થય છે.
મણિબંધ રેખા પર જાળનું નિશાન હોવાથી વ્યક્તિને દરેક કામકાજમાં પરેશાની આવે છે. જે પણ વ્યક્તિના હાથમાં આવું નિશાન હોય તેમણે તરત જ સચેત થઇ જવું જોઇએ અને પોતાના ઇષ્ટદેરૉવની ઉપાસના કરવાની શરૂ કરી દેવી જોઇએ.