કોરોના વાયરસે જોર પકડ્યું છે. લોકો ઘરમાં પેક થઇ ગયા છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. જે વ્યક્તિની ઇમ્યૂનિટી મજબૂત હોય તેને ઝડપથી ચેપ લાગતો નથી. ફેફસા મજબૂત હોય તેવા લોકો આનાથી કે અન્ય કોઇ પણ પ્રકારના વાઇરસથી દુર રહી શકે છે. ફેફસાની મજબૂતાઇ માટે વ્યાયામ, યોગ અને પ્રાણાયામ ખુબ જરુરી છે. આ સાથે હેલ્ધી ડાયેટ પણ એટલુ જ જરુરી છે. નિયમિત હેલ્ધી ડાયેટ લેવાથી શરીરના સેલ્સ સ્વસ્થ રહે છે અને ફેફસાના સંક્રમણથી બચાવ થાય છે.
ફેફસાંને જલ્દી સંક્રમણ ન લાગે તે માટે આ ટિપ્સ અજમાવો
ડાયેટમાં આ વસ્તુઓ ખાશો તો તમામ પ્રકારના સંક્રમણ રહેશે દૂર
શું ખાવુ સારું
સામાન્ય અને શાકાહારી ખાવાનુ ફેફસા માટે સારું છે. તેમાં વિટામીન્સ, એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં મળે છે. તેનાથી ઇમ્યૂનિટી વધે છે. વિટામીન સી યુક્ત ખાટા ફળ, લીંબુ, સંતરા, મોસંબી વગેરે લો. ડાયેટમાં દાળને સામેલ કરો. તેમાં પ્રોટીન વધુ હોય છે. જે ફેફસાને સ્વસ્થ રાખે છે. તમે ઇંડા, પનીર, ટામેટાં, દુધ વગેરે લઇ શકો છો. ટામેટા, ગાજર, પપૈયા, તરબુચ, આંબળા અને બીટનું સેવન કરી શકો છો. તેમાં એન્ટીઓક્સિડેન્ટ વધુ હોય છે. લસણ ખાવુ પણ હેલ્થ માટે સારું છે. તેમાં ઇન્ફેક્શન સામે લડતા એલિસિન તત્વ હોય છે. તેનાથી ઇમ્યૂનિટી વધે છે.
આટલી વસ્તુઓથી દૂર રહો
ફેફસા સંબંધિત વધુ પરેશાની હોય તો ખાટું દહીં, છાશ અને ઠંડા પીણા પીવાથી બચો. વધુ મસાલેદાર ભોજન અને તળેલુ ખાવાથી બચો. તેનાથી એસિડિટી થાય છે અને ફેફસાને નુકશાન થાય છે. વાસી અને બજારનુ ફૂડ ન ખાવ. અધકચરું પાકેલુ માંસ ખાવાથી પણ બચો. નોનવેજ ખાઇ રહ્યા હો તો મરચા, મસાલા અને તેલ ઓછુ નાંખો. વધુ તેલ મરચુ ખાવાથી ઇમ્યૂનિટી ઘટે છે.
ભરપુર પાણી પીવો
દિવસ દરમિયાન ખુબ જ પાણી પીવુ જોઇએ. એવુ કહેવાય છે કે દિવસનુ ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઇએ. પાણી પીવાથી શરીર હાઇડ્રેડ રહે છે. વાયરસની અસર શરીર પર થતી નથી. સ્વસ્થ વ્યક્તિએ અને અન્ય વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે રોજ 3-4 લીટર પાણી પીવુ જોઇએ.
એન્ટીઓક્સિડન્ટ ઇમ્યુનિટી વધારે છે
આટલું ખાઓ
મોસમી ફળો અ શાકભાજીમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તેનાથી ઇમ્યૂનિટી વધે છે. ઇમ્યૂનિટી વધારવા માટે એન્ટીઓક્સિડેન્ટ ખુબ જરુરી છે. તમે અનાજ ઓછું ખાશો તો ચાલશે, પરંતુ સીઝનલ ફળો અને શાકભાજીની અવગણના ન કરવી જોઇએ.