થાઇલેન્ડમાં રહેતા એક માછીમારની કિસ્મત ખુલી ગઇ છે. 20 વર્ષના ચાલેરમ્ચાએ મહાપનને સમુદ્ર કિનારે એવી અનોખુ ચીજ મળી જેના વિશે તેને કોઇ જ અંદાજો નહોતો પરંતુ જ્યારે તે વસ્તુને ઘરે લઇ આવ્યો અને તેને દુર્લભ વસ્તુ વિશે જાણ થઇ ત્યારે તે હેરાન થઇ ગયો.
માછીમારને દરિયામાંથી મળ્યો ખજાનો
ઘરે જતી વખતે હાથ લાગ્યો ખજાનો
ઇન્ટરનેશનલ માર્કેટમાં કરોડોની કિંમત
માછીમાર સોંગખ્લાના સમીલા બીચ પર 6 જાન્યુઆરીના રોજ હાજર હતો. તે સમયે વેધર ખુબ ખરાબ હતું અને તે ઘરે પરત જવાની તૈયારીમાં હતો. ત્યારે તેની નજર રેતમાં રહેલી સફેદ રંગની ચીજ પર પડી હતી. આ જોવામાં પત્થર જેવી લાગી રહી હતી. તેને લાગ્યું કે આ કોઇ સાધારણ પથ્થર છે પરંતુ તેણે ધ્યાનથી જોયુ તો તે અજીબ પ્રકારનો પથ્થર હતો. તે ઉત્સુક થયો અને તેને ઘરે લઇ આવ્યો.
મહાપને તે બાદ તેના ગામના વરિષ્ઠ લોકોને પૂછ્યું કે આ શું છે. તેના જવાબમાં તે લોકોએ કહ્યું કે આ એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલના આંતરડામાં પિત્ત નળીના સ્ત્રાવથી બને છે. કેટલીક વાર આ સમુદ્ર કિનારે તરતુ મળે છે અને કેટલીક વાર આ મૃત સ્પર્મ વ્હેલના પેટમાં મળ છે. આ ખુબ જ દુર્લભ છે કારણકે માત્ર 1 ટકા સ્પર્મ વ્હેલ જ આને બનાવી શકે છે. જેના કારણે તેની કિંમત ખુબ જ વધારે છે.
આ સ્પર્મ વ્હેલના આંતરડામાંથી નીકળનાર સ્લેટી કે કાળા રંગનો એક પદાર્થ છે. આ વ્હેલના શરીરમાં તેની રક્ષા માટે પેદા થાય છે. એમ્બરગ્રીસને વૈજ્ઞાનિક વ્હેલની ઉલ્ટી પણ કહે છે અને કેટલાક તેને મળ પણ કહે છે. કેટલીક વાર આ પદાર્થ રેક્ટમ દ્વારા બહાર આવે છે પરંતુ ક્યારેક ક્યારેક પદાર્થ મોટો હોવાથી સ્પર્મ વ્હેલ તેને મોઢેથી બહાર ફેંકી દે છે.
તેની ખુશ્બુ ખુબ જ ખરાબ હોય છે પરંતુ એક વાર તે સુકાઇ જાય ત્યારે તેમાંથી સ્વીટ અને ફંકી સ્મેલ આવે છે. આ જ કારણ છે કે એમ્બરગ્રીસનો ઉપયોગ પરફ્યુમ બનાવવામાં થાય છે. મહાપન પાસે લગભગ 7 કિલો એમ્બરગ્રીસ લાગ્યુ છે. ઇન્ટરનેશનલ બજારમાં તેની કિંમત 2 કરોડની આસપાસ છે.