મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ ટ્વિટ કરી હતી જેમાં કહ્યું હતું કે માતાઓ અને બહેનોના સમ્માન અને સ્વાભિમાન ને નુકસાન પહોંચાડવાનો વિચાર માત્ર કરનાર લોકોનો સંપૂર્ણ નાશ નક્કી છે. તેમને એવો દંડ આપવામાં આવશે જે ભવિષ્યમાં ઉદાહરણ પ્રસ્તુત કરશે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નું પ્રથમ નિવેદન
હાથરસ ની ઘટનાને લઈને કર્યું નિવેદન
માતાઓ અને બહેનોના સમ્માનની રક્ષા કરવા સરકાર સંકલ્પબદ્ધ
ઉત્તર પ્રદેશની યોગી સરકાર મહિલાઓ સામેના વધતાં જતાં અપરાધોને લઈને હાલમાં સૌના નિશાના પર છે. હાલમાં જ બલરામપુર , ભદોહી, હાથરસ, બાગપત, ફતેહપુર, અમેઠી અને આજમગઢ જેવા વિસ્તારોમાં દુષ્કર્મ ની શ્રેણીબદ્ધ ઘટનાઓ સામે આવ્યા બાદ લોકોમાં આ સરકાર અને વહીવટી તંત્રની કામગીરી ને લઈને વ્યપક આક્રોશ અને રોષ નો માહોલ છે.
उत्तर प्रदेश में माताओं-बहनों के सम्मान-स्वाभिमान को क्षति पहुंचाने का विचार मात्र रखने वालों का समूल नाश सुनिश्चित है।
इन्हें ऐसा दंड मिलेगा जो भविष्य में उदाहरण प्रस्तुत करेगा।
आपकी @UPGovt प्रत्येक माता-बहन की सुरक्षा व विकास हेतु संकल्पबद्ध है।
CM યોગી આદિત્યનાથ એ કરી ટ્વિટ, કહ્યું "ઉદાહરણ રૂપ સજા મળશે. "
આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ ટ્વિટ કરી હતી જેમાં કહ્યું હતું કે માતાઓ અને બહેનોના સમ્માન અને સ્વાભિમાન ને નુકસાન પહોંચાડવાનો વિચાર માત્ર કરનાર લોકોનો સંપૂર્ણ નાશ નક્કી છે. તેમને એવો દંડ આપવામાં આવશે જે ભવિષ્યમાં ઉદાહરણ પ્રસ્તુત કરશે. તમારી યુપી સરકાર પ્રત્યેક માતા અને બહેનોની સુરક્ષા અને વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. આ અમરો સંકલ્પ પણ છે અને વચન પણ છે."
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने हाथरस की घटना पर वार्ता की है और कहा है कि दोषियों के विरुद्ध कठोरतम कार्रवाई की जाए।
દરમિયાન, એવી માહિતી પણ સામે આવી રહી છે કે હાથરસ ના જિલ્લા મૅજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને અધિકારીઓ પર ઘણી મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. CM યોગી આદિત્યનાથ જે રીતે હાથરસ પ્રશાસન દ્વારા આ સમગ્ર મામલા ને જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો તે પદ્ધતિથી તેનાથી ભારે નારાજ છે અને ટૂંક સમયમાં મોટી કાર્યવાહી કરે તેવી સંભાવના છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ પર પીડિતા ના પરિવારને ધમકાવવા નો આરોપ
DM પ્રવીણ કુમાર પર ગેંગરેપ પીડિતાના પરિવાર દ્વારા પણ આરોપ મૂકવામાં આવ્યો છે. પીડિતા ના પરિવારજનોએ વહીવટી તંત્ર પર તેમને ધમકી અને દબાણ આપવાનો આરોપ લગાવ્યો છે.ગુરુવારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હાથરસ ના DM પીડિતા ના પરિવારને ધમકાવતા દેખાઈ રહ્યા છે. હાથરસ ના DM કહી રહ્યા છે કે મીડિયાના લોકો તો રવાના થઈ જશે, પરંતુ વહીવટીતંત્ર તો અહીં જ રહેવાનું છે.
हाथरस में बालिका के साथ घटित दुर्भाग्यपूर्ण घटना के दोषी कतई नहीं बचेंगे।
प्रकरण की जांच हेतु विशेष जांच दल का गठन किया गया है। यह दल आगामी सात दिवस में अपनी रिपोर्ट देगा।
त्वरित न्याय सुनिश्चित करने हेतु इस प्रकरण का मुकदमा फास्ट ट्रैक कोर्ट में चलेगा।
હાથરસના પીડિત પરિવારનું કહેવું છે કે તેમને ધમકી આપવામાં આવી રહી છે. કેસ મામલે દબાણ લાવવામાં આવી રહ્યું છે. પીડિતા ના અંતિમ સંસ્કાર સંદર્ભે હાથરસ પ્રશાસન ની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. રાત્રે પીડિતાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. હાથરસ પ્રશાસન આ નિર્ણયથી ઘેરાયેલું છે. ભાજપના અંદરથી જ આ નિર્ણય સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ કહ્યું કે પીડિતા નો મૃતદેહ સબંધીઓને આપવામાં આવવો જોઈતો હતો.