10 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સૂર્ય ગ્રહણના કારણે દરેક રાશિઓ પર તેની અસર પડશે. પરંતુ અમુક રાશિઓની કિસ્મત ખુલી જશે. જાણો કઈ છે તે રાશિઓ....
10 એપ્રિલે છે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ
આ રાશિના લોકોની ખુલી જશે કિસ્મત
જાણો રાશિઓ પર શું પડશે પ્રભાવ
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 10 એપ્રિલ 2023એ છે. સૂર્ય ગ્રહણના સમયે સૂર્ય મેષ રાશિમાં રહેશે અને તેનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડશે. આ સૂર્ય ગ્રહણ 10 એપ્રિલે સવારે 7.05 વાગ્યાથી શરૂ થઈને બપોરે 12.29 વાગ્યે સમાપ્ત થશે. સૂર્ય ગ્રહણ ત્યારે થશે જ્યારે ચંદ્રમા પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. જેના કારણે સૂર્યની દ્રષ્ટિ સંપૂર્ણ રીતે કે આંશિક રીતે અવરૂદ્ધ થઈ જાય છે.
સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવવાથી થાય છે ગ્રહણ
આગામી ગ્રહણ એક આંશિક સૂર્ય ગ્રહણ છે જેનો અર્થ છે કે યદ્યપિ ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે તે સંપૂર્ણ રીતે સીધી રેખામાં નથી હોતા અને ચંદ્ર ફક્ત સૂર્યના દ્રશ્યને આંશિક રીતે અવરોધ કરે છે. જ્યારે ગ્રહણ ખગોળીય દુનિયામાં એક અભિન્ન ભૂમિકા નિભાવે છે.
તે જ્યોતિષ પર પણ મહત્વપૂર્ણ પ્રભાવ કરે છે. તેમણે કહ્યું, તમારી રાશિ અનુસાર અહીં અમુક એવી રીતો જોવા મળે છે જેનાથી આ સૂર્ય ગ્રહ તારામાંથી દરેકને પ્રભાવિત કરી શકે છે.
દરેક રાશિ પર થાય છે ગ્રહણની અસર
આ વખતનું સૂર્ય ગ્રહણ ખગ્રાસ છે. જોકે આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં દેખાય પરંતુ જ્યોતિષ અનુસાર તેનો પ્રભાવ દરેક રાશિઓ પર પડશે.
સૂર્ય ગ્રહણનો પ્રભાવ આમ તો દરેક રાશિઓ પર પડે છે પરંતુ અમુક રાશિઓ પર તેનો હાનિકારક પ્રભાવ પડે છે તો અમુક પર સકારાત્મક પ્રભાવ પડે છે. સૂર્ય ગ્રહણનો પ્રભાવ ત્રણ રાશિઓને સફળતા અપાવશે. આવો જામીએ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ શુભ પ્રભાવ લઈને આવે છે. વૃષભ રાશિના લોકો માટે સૂર્ય ગ્રહણ સકારાત્મક પ્રભાવ આપતું જોવા મળશે. તેના સાથે જ વેતન વૃદ્ધિ થવાનો યોગ છે. કાર્યક્ષેત્રમાં પણ પદોન્નતિ થવાની સંભાવના છે.
મિથુન
મિથુન રાશિના લોકો માટે સૂર્ય ગ્રહણ સકારાત્મરતા લઈ આવશે. મિથુન રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ લેવાની સંભાવના છે. જે જાતકોને પોતાનો વ્યાપાર છે તેમને વ્યાપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.
ધન
ધન રાશિના જાતકોની વાત કરીએ તો આ સૂર્યગ્રહણ એમના માટે ભાગ્યોદય લઈને આવશે. ભાગ્ય તમારૂ સંપૂર્ણ સાથ આપશે વ્યાપારમાં લાભના નવા અવસર મળી શકે છે. તેની સાથે જ વૈવાહિક અને પારિવારિક જીવન પણ સુખી રહેશે.