મોરબી ઝુલતા પૂલ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટના ડાયરેક્શન બાદ રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે, પાલિકાને સુપરસીડ જાહેર કરાઈ છે
મોરબી પૂલ દુર્ઘટનાનો પહેલો મોટો પડઘો
ગુજરાત HCના આદેશ બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય
મોરબી નગરપાલિકાને જાહેર કરાઈ સુપરસીડ
મોરબી પૂલ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાને સુપરસીડ જાહેર કરાઈ છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે સુપરસીડ કરવાનો નિર્ણય કર્યો છે. અધિક નિવાસી કલેક્ટરને નગરપાલિકાના વહીવટદાર બનાવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પાલિકાના સભ્યો પર સવાલ ઉઠ્યા હતા.
હાઇકોર્ટના ડાયરેક્શન બાદ રાજ્ય મોટો નિર્ણય
મોરબી પૂલ દુર્ઘટનામાં 130થી વધુ વ્યક્તિઓનો ભોગ લેનારી ઘટનાના પડઘા પડ્યા છે. 52 સભ્યોની મોરબી નગરપાલિકાને અંતે સુપરસીડ જાહેર કરાઈ છે. અધિક કલેક્ટર નરેન્દ્ર મુછાળને ચીફ ઓફિસરનો ચાર્જ સોપાયો છે. હાઇકોર્ટના ડાયરેક્શન બાદ રાજ્ય મોટો નિર્ણય લીધો છે
બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.
શુ આવ્યું હતું રિપોર્ટમાં મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સામાન્ય બોર્ડની પૂર્વ મંજૂરી વગર આ કરાર કરવો જોઈતો ન હતો. મોરબી પાલિકાના મુખ્ય અધિકારી તથા ઉપપ્રમુખ કરાર મુદ્દે કંઈ પણ ખાસ બાબતો ધ્યાનમાં રાખી નહી, તેમજ ટેકનીકલ બાબતોના જાણકારોના સલાહ સૂચન વગર સમારકામ કરી દીધું હતું એટલું જ નહી પરંતું સમારકામ કાર્ય શરૂ કર્યું તેના પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની પણ તપાસ કરવામાં આવી ન હતી.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને વેધક સવાલ કરાયા હતા
મોરબી પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટે પોલિસીને લઈને સરકારને સવાલ કર્યા હતા. ત્યારે ચીફ જસ્ટીસે જણાવ્યું હતું કે, એફિડેવિટ મુજબ રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની પોલિસ છે. તમારા એફિડેવિટ મુજબ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની કોઈ પોલિસી નથી. સિવિક બોડીવનું પોતાનું મિકેનિઝમ છે. જે બાબતે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે અમે એક સર્વગ્રાહી પોલિસી લાવી રહ્યા છીએ. જે જલ્દી જ જાહેર થશે. બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને વેધક સવાલ કર્યા હતા. જેમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શું જવાબદાર અધિકારીઓ હોશમાં હતા કે નહી? મોરબી બ્રિજની ચકાસણી કરનાર કોણ હતું? ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે બ્રિજની ચકાસણી કરનાર કોણ હતા એ ખબર નથી.