બે વર્ષથી હ્યૂમન સ્પેશ મિશનની તૈયારી કરનારા સંયુક્ત અરબ અમીરાત (UAE)એ પોતાનો પહેલો એસ્ટ્રોનૉટ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (International Space Station - ISS) માટે મોકલી દીધો છે. અંતરિક્ષ સ્ટેશન પર અત્યાર સુધીમાં 239 યાત્રીઓ પહોંચ્યા છે, જો કે ભારતને હજી બે વર્ષ સુધી રાહ જોવી પડશે.
ભારતમાંથી હજી સુધી અંતરિક્ષ યાત્રી ISS નહીં પહોંચ્યો
2021માં ત્રણ ભારતીય એસ્ટ્રોનૉટ સ્પેસની યાત્રા કરશે
પહેલી વાર ઇસ્માલિક દેશના ઇસ્ટ્રોનૉટ ISS પહોંચ્યા
UAEએ પહેલો એસ્ટ્રોનૉટ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન મોકલ્યો છે. આ પહેલી વખત છે કે કોઇ ઇસ્માલિક દેશમાંથી કોઇ એસ્ટ્રોનૉટ ISS પહોંચ્યો છે. અંતરિક્ષ વિજ્ઞાન મામલે UAEનું કદ ભારતની સરખામણીએ નાનું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર પોતાનો એસ્ટ્રોનૉટ હજ્જા-અલ-મંસૂરીને મોકલી ભારતને પાછળ રાખી દીધું છે.
ઇસરો માનવ અંતરિક્ષ મિશન ગગયાન 2021માં મોકલશે
ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો (Indian Space Research Organization - ISRO) દ્વારા માનવ અંતરિક્ષ મિશન ગગનયાન 2021માં રવાના કરવામાં આવશે. જો કે આ મિશનનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે કોઇ લેવા દેવા નહી હોય. પરંતુ ભારતીય એસ્ટ્રોનૉટસ પૃથ્વીથી 400 કિમી ઉપર અંતરિક્ષમાં 7 દિવસ સુધી યાત્રા કરશે.
અત્યાર સુધીમાં 19 દેશમાં 239 યાત્રીઓ ગયા
આંતરરાષ્ટ્રિય અંતરિક્ષ સ્ટેશન પર અત્યાર સુધી 239 યાત્રી જઇ ચૂક્યાં છે. 19 દેશામાંથી ગયેલા અંતરિક્ષ યાત્રીઓ પૃથ્વીથી અંદાજે 410 કિમીની ઉંચાઇ પર સ્થિત સ્પેશ સ્ટેશ પર સમય પસાર કરી આવ્યાં છે. જો કે ભારતમાંથી હજુ સુધી કોઇ આ સ્ટેશન પર ગયું નથી.
અત્યાર સુધીમાં અમેરિકાના 151, રશિયાના 47, જાપાનના 9, કેનેડાના 8, ઇટાલીના 5, ફ્રાંસના 5, જર્મનીના 3, બેલ્જિયમ, નેધરલેન્ડ, સ્વીડન, બ્રાજીલ, ડેનમાર્ક, કઝાકિસ્તાન, સ્પેન, ગ્રેટ બ્રિટેન, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા અને સંયુક્ત અરબ અમીરાતમાંથી 1-1 યાત્રી સ્પેશ સ્ટેશન પહોંચ્યા હતા.
ગગનયાનમાં ત્રણ ભારતીય અંતરિક્ષ યાત્રી કરશે સ્પેશ યાત્રા
ચંદ્રયાન-2 મિશન બાદ ઇસરો અને ભારતીય વાયુસેના ગગનયાન મિશનની તૈયારીઓ કરી રહ્યાં છે. ગગનયાન ભારતનું સૌથી મહત્વનું મિશન છે. જેમાં ત્રણ ભારતીય અંતરિક્ષમાં 7 દિવસની યાત્રા માટે જશે. ભારતીય વાયુસેનાએ તેના માટે 10 ટેસ્ટ પાઇલટની પસંદગી કરી છે.
રશિયા આપશે ભારતીય અંતરિક્ષ યાત્રીઓને ટ્રેનિંગ
ઇસરોના વિશ્વનીય સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રશિયા ગગનયાનમાં જનારા ત્રણ ભારતીય અંતરિક્ષ યાત્રીઓને ટ્રેનિંગ આપશે. આ પાયલટોને ટ્રેનિંગ માટે આ વર્ષે નવેમ્બર બાદ રશિયા મોકલવામાં આવી શકે છે. 10 હજાર કરોડ રૂપિયાના બજેટવાળા ગગનયાન મિશનની જાહેરાત ગત વર્ષે સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.