ભારતમાં ઓમિક્રોનને કારણે પહેલું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેમા 72 વર્ષીય વૃદ્ધનું રાજસ્થાનના જયપુરમાં મોત થયું છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે વૃદ્ધે કોરોનાને મ્હાત આપી હતી તેમ છતા તે ન બચી શક્યો
ઓમિક્રોનને કારણે દેશમાં પહેલું મોત
રાજસ્થાનના જયપુરમાં 72 વર્ષીય વૃદ્ધનું મોત
નેગિટ થયા બાદ વૃદ્ધનું થયું મોત
દેશમાં હાલ કોરોના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેના કારણે લોકો ફરી હેરાન થઈ રહ્યા છે. ત્યારે આવા સમયે એક દુખદ સમચાર સામે આવી રહ્યા છે. જેમા કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોનને કારણે દેશમાં પહેલું મોત થયું છે. રાજસ્થાનના જયપુરમાં ઓમિક્રોનને કારણે પહેલા દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
5 દિવસ પહેલા નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારાજ આ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે 72 વર્ષના વૃદ્ધનું ઓમિક્રોનને કારણે જયપુરમાં મોત થયું છે. જોકે જે વ્યક્તિનું મોત થયું છે તેનો 5 દિવસ પછી નેગેટિવ રિપોર્ટ પણ આવ્યો હતો. પરંતુ મંત્રાલયના કહેવા પ્રમાણે તે દર્દી હોસ્પિટલમાં ભરતી હતો જેથી તેનું મોત ઓમિક્રોનને કારણે થયું છે તેવું માનવામાં આવશે.
નેગિટિવ રિપોર્ટ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળજ
આપને જણાવી દઈએ કે જે દર્દીનું મોત થયું છે તે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નેગેટિવ થયો હતો પરંતું નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ તેનું મોત થયું છે. કારણકે નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ તે હોસ્પિટલમાં ભરતી હતો.
દિલ્હીમાં કોરોનાને કારણે સૌથી ખરાબ સ્થિતી
ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેમા પણ ખાસ કરીને દિલ્હીમાં ગંભીર પરિસ્થિતી સર્જાઈ છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે દિલ્હીમાં હાલ કોરોનાની ત્રીજી નહી પરંતું પાંચમી લહેર શરૂ થઈ છે. સાથેજ તેમણે પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ 40 ટકા બેડ અત્યારથી રિઝર્વ કરી લીધા છે.