ગુજરાતમાં લાગુ કરાયેલા ધર્મ સ્વાતંત્ર્ય સુધારણા અધિનિયમ મુજબ પ્રથમ કેસ વડોદરામાં દાખલ કરાયો, સોશિયલ મીડિયાથી પરિચય કેળવી યુવતીને ફસાવવામાં આવી હોવાની ફરિયાદ
કાયદો બન્યા બાદ લવ જેહાદનો પહેલો કેસ
ધર્મ અંગેની યુવકે છુપાવી માહિતી
યુવતીને લગ્ન બાદ ધર્માંતરણ અંગે કર્યું દબાણ
ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બન્યા બાદ વડોદરામાં પ્રથમ કેસ નોંધાયો છે. ગુજરાતમાં લાગુ કરાયેલા ધર્મ સ્વાતંત્ર્ય સુધારણા અધિનિયમ મુજબ પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાથી પરિચય કેળવી યુવતીને ફસાવવામાં આવી હોવાની ફરિયાદ કરાઈ છે. યુવકે ધર્મ અંગે માહિતી છુપાવીને યુવતી સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ યુવતીને વિધર્મી યુવક અંગે જાણ થઈ હતી. એટલું જ નહીં લગ્ન બાદ યુવતીને ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવ્યું હતું જેથી આ મામલે યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહત્વનું છે કે, 15 જૂનથી ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 અમલી બન્યો છે. જેના ત્રણ દિવસમાં જ પહેલો કેસ પણ નોંધાઈ ચૂક્યો છે. નવા કાયદા અનુસાર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્નને કોર્ટ રદ કરી શકે છે. અને લગ્નના હેતુથી કરેલા ધર્મ પરિવર્તન પણ રદ થઈ શકે છે.
ગુનો કરનાર, કરાવનાર, મદદગાર, સલાહકારને પણ થશે સજા
બળપૂર્વક, લલચાવીને, કપટથી ધર્મ પરવિર્તન નહીં થઈ શકે
સગીર, સ્ત્રી, SC, STના કેસમાં 4થી 7 વર્ષ કેદની જોગવાઈ
Sકાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નીઝેબલ ગુના ગણાશે
ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003નો અત્યાર સુધી હતો અમલ
મહત્વનું છે કે, 22 મેના દિવસે ગુજરાતમાં રાજ્યપાલે 8 બિલને મંજૂરી આપી છે. આ તમામ બિલને ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યા હતા. ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજીયન, ગુજરાત લવ જેહાદ (ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021) અશાંત ધારા સુધારા બિલ, ગુજરાત ક્લીનિકલ એસ્ટાબ્લીશમેન્ટ સુધારા બીલ અને ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ સહિતના 8 બિલને મંજૂરી આપવામાં આવી હતી.
આ સમયે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે 14મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં 15 જેટલા વિધેયકો રજૂ કરાયા હતા. જે પૈકી અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન મંજૂર થયેલા 7 વિધેયકો પ્રસિદ્ધ થયા બાદ હવે બાકીના 8 વિધેયકોને રાજ્યપાલની મંજૂરી અને મહોર લાગી છે. તે હવે એક્ટ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવશે. આમ રાજય સરકાર દ્વારા રજૂ કરાયેલા તમામ 15 વિધેયકોને રાજયપાલે મંજુરીની મહોર મારી છે.
કાયદામાં શું જોગવાઇઓ છે?
કાયદામાં આરોપીને 4થી 7 વર્ષની કેદ ઉપરાંત દંડ
2 લાખથી ઓછા નહીં એટલા દંડની જોગવાઇ
સગીર અને SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જેલ
સગીર,SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 3 લાખથી ઓછીં નહીં એટલો દંડ
લગ્ન કરાવનાર સંસ્થા-સંગઠનો સામે પણ લેવાશે પગલાં
સંસ્થા-સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા,5 લાખનો દંડ
અધિનિયમ 2003ના 22માં અધિનિયમની કલમમાં સુધારો
બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો
લગ્ન કરનાર-કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી
સ્ત્રી સાથે લોહીનો સબંધ ધરાવતા સંબંધી ફરિયાદ કરી શકશે