રાજકોટ: શહેરના જામનગર હાઈવે પર ખુલ્લા પ્લોટમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા છે. ફટાકડાના કારણે ખુલ્લા પ્લોટમાં આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
મળતી માહિતી અનુસાર જામનગર હાઇવે પર ઘંટેશ્વર પાર્ક સામે આવેલા ક્વાર્ટર નજીક આ આગ લાગી હતી. આગ લાગતા પોલીસ અને ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
નોંધનીય છે કે બુધવારે રાજકોટ જેતપુરમાં કોટન ફાયબર બનાવવાના કારખાનામાં પણ અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં કોટન ફાયબરનો મોટો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો.