દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના નવા પ્લાન્ટમાં ગઈ કાલે આગ લાગી હતી.
કોરોનાની રસી બનાવે છે સીરમ કંપની
પૂણેના નવા પ્લાન્ટમાં લાગી હતી આગ
જો કે કોવિશિલ્ડના સપ્લાય પર નહીં પડે અસર
સીરમ કંપનીના નવા પ્લાન્ટમાં લાગેલી આગમાં ગઈ કાલે 5 લોકોના મોત થયા હતા, આ પ્લાન્ટમાં જો કે કોવિશિલ્ડ વેક્સિન બનાવવામાં નથી આવતી તે રાહતની વાત છે , પરંતુ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આગના લીધે કંપનીને નાણાંકીય નુકસાન થયું છે અને આ પ્લાન્ટમાં બીસીજી અને રોટાની રસી બનાવવામાં આવે છે , જેના સપ્લાય ઉપર અસર પડી શકે છે.
The fire has no impact on the production of Covishield vaccine and no damage has occurred to the existing stock either: Serum Institute of India CEO Adar Poonawalla pic.twitter.com/tbsrba4YO0
આ મામલે કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે આ આગના લીધે કંપનીને 1 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે અને બીસીજી અને રોટાની રસીની આપૂર્તિમાં ફરક પડશે, જો કે કોવીશીલ્ડની વેક્સિનની આપૂર્તિ પાર કોઈ પણ ફરક નહિ પડે, કેમ કે મંજરી પ્લાન્ટમાં આ રસી બનાવી રહી નહોતી.
આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થઇ ગયા હતા, જેને કંપની તરફથી 25 લાખ રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું છે, જો કે આ આજ્ઞા લીધે કંપનીને 1 હજાર કરોડથી વધુ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, આ આગ મંજરી પ્લાંટમાં લાગી હતી જ્યાં બીસીજી અને રોટાની રસી બનાવાતી હતી, મહત્વનું છે કે આ રસી ટીબી એટલે કે ક્ષય રોગથી બચાવ માટે કામમાં આવે છે.
News came that fire broke out at the institute but fortunately site where vaccine is manufactured & stored, isn't affected. I'm informed by Adar & Cyrus that COVID vaccine is manufactured at distance from fire site: Maharashtra CM Uddhav Thackeray on Serum Institute of India fire pic.twitter.com/u8AkWz4e2F
નોંધનીય છે કે આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા હતા, અને કહ્યું હતું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, અને તપાસની રિપોર્ટ ન આવે ત્યાં સુધી કઈં પણ કહેવું મુશ્કેલ છે.