ભારતીય રેલ્વે 7 સપ્ટેમ્બરથી અમદાવાદ-મુંબઈ રુટ પર ત્રીજી વંદે ભારત ટ્રેનનું અંતિમ પરીક્ષણ કરશે.
વંદે ભારત ટ્રેનનું ગુજરાતમાંથી થશે પરીક્ષણ
અમદાવાદ મુંબઈ રૂટ પર આ ટ્રેનનું અંતિમ પરીક્ષણ થશે
180 કિમી પ્રતિ કલાકની સ્પિડથી ટ્રેન દોડશે
ભારતીય રેલ્વે 7 સપ્ટેમ્બરથી અમદાવાદ-મુંબઈ રુટ પર ત્રીજી વંદે ભારત ટ્રેનનું અંતિમ પરીક્ષણ કરશે. આ પરીક્ષણ 2 દિવસ માટે આયોજીત કરવામાં આવશે. જેનાથી તેનું વાસ્તવિક ટાઈમ ટેબલની ખબર પડે. ટ્રાયલ રન દ્વારા વંદે ભારત ટ્રેનની રૈકને રેતીથી ભરવામાં આવશે. ત્યાર બાદ તેને સુરક્ષાના માપદંડોની તપાસ કરવા માટે મુખ્ય રેલ્વે સુરક્ષાને સોંપવામાં આવશે. કોઈ પણ નવી ટ્રેનની સાથે આવી જ રીતે કરવામાં આવે છે, જ્યારે તેના સેફ્ટી મેજર્સને માપવામાં હોય.
સીસીઆરએસના ચેકીંગ બાદ રેલ મંત્રાલય મુંબઈ અમદાવાદના રૂટ પર તેમાં સેમી હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેનને લગભગ 1 મહિના સુધી સ્પીડ અને બ્રેંકીંગ સિસ્ટમના ટ્રાયલથી પસાર થવું પડશે. જેમાં સૌથી ઓછી સ્પિડ 115 અને સૌથી વધારે 180 કિમી પર કલાક હશે.
આ ટ્રેનને અલગ અલગ રૂટ પર ટેસ્ટ કરવામાં આવી હતી. કોટા-સવાઈ માધોપુર ખંડમાં 25 ઓગસ્ટથી 28 ઓગસ્ટની વચ્ચે 180 કિમી પ્રતિ કલાકની સ્પિડથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટ્રેનનું પરીક્ષણ 120, 135,150,160,170,175, અને 180 કિમી પ્રતિ કલાકની સ્પિડથી પરીક્ષણ થયું હતું. હાલમાં વંદે ભારત 2 રૂટ પર ચાલી રહી છે. એક દિલ્હીથી કટરા અને બીજી દિલ્હીથી વારાણસી.