ફેમસ ફિલ્મ નિર્દેશક વીએ શ્રીકુમાર મેનનની પોલીસે છતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. શ્રીવલ્સમ બિઝનેસ ગ્રુપ સાથે જોડાયેલ રાજેન્દ્રન પિલ્લઇએ શ્રીકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફિલ્મ ડિરેક્ટરની થઇ ધરપકડ
છેતરપિંડીના કેસમાં ધરપકડ
2018માં ફિલ્મ થઇ હતી રિલીઝ
2006થી લઇને ફરિયાદ નોંધાવી હતી. મિડીયા રિપોર્ટ્સ અનુસાર રાજેન્દ્રન પિલ્લઇએ પોતાની ફરિયાદમાં રહ્યું કે તેમણે 7 કરોડ રૂપિયા લીધા હતા જે ક્યારેય પરત આપ્યા ન હતા. જે બાદ તેણે ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતુ.
શ્રીકુમારને 6 મેના રોજ ધરપકડ કરવામાં આવ્યો હતો અને તેના આગલા દિવસે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં પૂછપરછ કરવામાં આવી હતી અને આઇપીસીની ધારા 402 અને 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કથિત રીતે શ્રીકુમારે અગ્રિમ જામિન માટે આવેદન કરી દેવામાં આવ્યુ છે.
શ્રીકુમાર મેનને મોહનલાલના અભિનયવાળી ફિલ્મ ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ 2018માં થિયેટર્સમાં રિલીઝ થઇ હતી. 2019માં એક્ટ્રેસ મંજૂ વોરિયરે સોશ્યલ મિડીયામાં કેમ્પેન દ્વારા તેમને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મંજૂની ફરિયાદ પર શ્રીકુમાર મેનનની ધરપકડ કરી લેવામાં આવી હતી. એક્ટ્રેસ મંજૂએ શ્રીકુમાર મેનનની ફિલ્મ ઓડિયનમાં કામ કર્યુ હતુ.