આગ / ભરૂચના અંકલેશ્વરમા GIDCમાં ભીષણ આગ, 12થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે

ભરૂચના અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ લાગી છે. અંકલેશ્વરની એરો ગ્રીનટેક કંપનીમાં આગ લાગી છે. આગના બનાવને લઇને 12થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આગમાં કંપનીનો લાખોનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. જો કે ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

બ્રેકિંગ ન્યૂઝ