ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
ગુજરાતમાંથી મહિલાઓ મુખ્યમંત્રીને બાંધી રાખડી
મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાયો રક્ષાબંધનનો પર્વ
181 અભયમની બહેનો મુખ્યમંત્રીને રાખડી બાંધી
આજે ભાઈ બહેનાના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધનનો પર્વ છે ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને ભાઈ બહેનના પ્રતિક સમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી
ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ ખાતે ભાજપની મહિલા કાર્યકરો તેમજ સખીમંડળની બહેનો, 181 અભિયામની બહેનો, સહિત વિવિધ મંડળની બહેનો, આજે મુખ્યમંત્રીને રાખડી બાંધવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી છે. CM રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણીમાં આવી, મુખ્યમંત્રી નિવસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી વિવિધ વિભાગોમાં કામ કરતી મહિલાઓે મુખ્યમંત્રીને રાખડી બાંધવા પહોંચી હતી. સાંસદ રંજનબેન, ધારાસભ્ય આશાબેન પટેલ, મહિલા ઉત્કર્ષની બહેનો, ધારાસભ્ય નિમિષાબેન, ધારાસભ્ય સીમાબેન અને અમદાવાદ પૂર્વ મેયર બીજલ પટેલ તેમજ પ્રજાપતિબ્રહ્મા કુમારીની બહેનો સહિત 181 અભયમની બહેનોએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી.
મુખ્યમંત્રી નિવાસસ્થાને વિશેષ આયોજન
દર વર્ષની જેમ આ વર્ષ પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજર રહી સીએમ વિજર રૂપાણીને રાખડીને રક્ષાબંધનની શુભકામનાઓ આપી છે. ઉલ્લેખનિય છે કે રક્ષાબંધન પર્વ નીમિતે નર્મદા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી પણ બહેનો રાખડી બાંધવા માટે પહોંચી હતી. તેમજ વિવિધ મંડળની બહેનોએ પણ મુખ્યમંત્રીને રક્ષા કવચ બાંધી તેમના માટે સારા સ્વાસ્થ્ય અને સારી તંદુરસ્તીની પ્રાર્થના કરી હતી. રક્ષાબંધન પર્વ નીમિતે મુખ્યમંત્રી રૂપાણીને રક્ષાબંધન પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે બહેનો પોતાના ભાઈના કાંડે જે રાખડી બાંધે છે તે પોતાના ભાઈની સદૈવ રક્ષા માટેની નિ:સ્વાર્થ સેવા ભાવનાનું આગવું પ્રતિક છે. સમાજમાં સમરસતા, બંધુત્વ, ભાઈચારો અને આપસી પ્રેમના પ્રતિકનું આ પર્વ સૌ માટે ખુશીઓ-ઉલ્લાસનું પર્વ બને તેવી મનોકામના વ્યક્ત કરું છું.
ભાજપની સરકારમાં દરેક બહેનો સુરક્ષિત છે: સી.આર.પાટીલ
આ તરફ સુરતમાં પણ ભાજપ અધ્યક્ષ સી.આર, પાટીલ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી ભાજપની મહિલા કાર્યકરોએ સી.આર.પાટીલના નિવાસસ્થાને જઈને તેમને રાખડી બાંધી તેમની સારી તંદુરસ્તી માટેની મનોકામના કરી હતી.જ્યારે સી.આર.પાટીલે બહેનોને શુભકામનાઓ આપતા ભારજ સરકારમાં દરેક બહેનો સુરક્ષિત છે, તેમજ ભાજપના કાર્યકર તમામ બહેનોની સુરક્ષા માટે તૈયાર છે તેવું જણાવ્યું હતું.
અમદાવાદમાં ઋષિકુમારોએ યજ્ઞોપવિત ધારણ કરી
આ તરફ અમદાવાદમાં SGVP યજ્ઞશાળામાં રક્ષાબંધનના દિવસે ઋષિકુમારોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી જેમાં 100 ઋષિકુમારોએ SGVP યજ્ઞશાળામાં યજ્ઞોપવિત ધારણ કરી ગાયત્રી મંત્ર, સૂર્યનારાયણના મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી હતી, સાથે ઋષિકુમારોએ ગૌમૂત્ર, દૂધ અને દહીથી દેહશુદ્ધ કર્યો હતો.