કૃષિ મંત્રીની અપીલ અંગે ખેડૂત આગેવાનોએ કહ્યું કે પહેલા જ ઘણી બધી ચર્ચા થઈ ચૂકી છે અને હવે કાયદો રદ કરવાથી કશું જ ઓછું અમને નથી જોઈતું. સાથે જ ખેડૂતોએ આંદોલનને વધુ તીવ્ર કરવાની ચેતવણી પણ આપી હતી.
કૃષિ મંત્રી તોમરે ચર્ચા માટે કરી હતી અપીલ
ખેડૂત નેતાઓએ કૃષિ મંત્રીની અપિલને ફગાવી
અમે કાયદો રદ્દ કરાવવા માટે અડગ : ખેડૂતો
ખેડૂત સંગઠનોએ ગુરુવારે કહ્યું કે સરકાર કહી રહી છે કે રાજ્ય સરકારો કેટલાક સુધારા કરી શકે છે. પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે ખેતી માટે પહેલા જ કેન્દ્રીય નિયમો શા માટે બનાવવામાં આવ્યા? શું ફક્ત કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે.? તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર ઘણી વાર કહી રહી છે કે આ કાયદાઓ ખેડૂતો માટે લાભકારક છે પરંતુ તે અમારા સવાલોના જવાબો આપવાનું ટાળી રહી છે.
સરકાર અમારા બદલે કંપનીઓના હિતોની ચર્ચા કરી રહી છે : ખેડૂતો
ખેડૂતો એ કહ્યું હતું કે, "સરકારે તેની સંવેદનહીનતા દેખાડી છે, સ્વાભાવિક છે કે, સરકાર કંપનીઓના હિતોની ચિંતા કરી રહી છે, અને આ ઠંડી હોવા છતાં, તેને ખેડૂતો ની કોઈ ચિંતા નથી. જ્યાં સુધી સરકાર આ ત્રણ કાયદા પાછા નહીં લે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે."
ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું કે અમે કૃષિ કાયદો રદ કરાવવા માંગીએ છીએ. જ્યાં સુધી ત્રણ કાયદા રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન સમાપ્ત નહીં થાય. અમે સરકારને MSP પર કાયદો ઘડવા જણાવ્યું હતું, સરકારે તે કર્યું નહીં. હવે વાતચીત નથી. અગાઉ પણ ઘણી ચર્ચા થઈ ચૂકી છે."
કૃષિ મંત્રીએ કહ્યું,"ચર્ચા માટે તૈયાર છીએ"
કૃષિ પ્રધાને કહ્યું હતું કે જો અમારા પ્રસ્તાવમાં કઇંક ખામી હોય તો ચર્ચા કરો તેના માટે તૈયાર છીએ, પરંતુ જ્યારે ચર્ચા ચાલી રહી છે, ત્યારે આંદોલનના આગળના તબક્કાની જાહેરાત કરવી યોગ્ય નથી, હમણાંથી વાટાઘાટો ચાલી રહી છે, ચર્ચા તૂટી નથી. અમે ચર્ચા અંગે આશાવાદી છીએ.
MSP has got nothing to do with these laws. They do not affect MSP at all. PM had I have explained to and assured the farmers that MSP will continue: Agriculture Minister Narendra Singh Tomar#FarmLawspic.twitter.com/mGlhV1dy89
નોંધનીય છે કે ખેડૂતો MSP પર કાયદો ઘડવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતો ની આ માંગ અંગે કૃષિ પ્રધાને ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે આ કાયદાઓને કારણે MSP ને કોઈ જ અસર નથી થઈ.તે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કોઈ કાયદો સંપૂર્ણ અથવા ખામીયુક્ત હોઇ શકે નહીં, અને જે કાયદાની જોગવાઈ પરની સમસ્યા છે તેની ચર્ચા કરવા તૈયાર છીએ."