એક ખેડૂતના ઘરે વીજળી ન પહોચતા પોતે જ પહોચ્યા ઓફિસે અને ઘરના મસાલા દળવા લાગ્યા ઓફિસમાં. એક બે દિવસ નહિ પરંતુ 10 મહિના સુધી પોતાના કામ કાર્ય ઓફિસમાં, કર્મચારીઓ પણ કશું બોલ્યા નહી
કર્ણાટકના એક ખેડૂત વાપરે છે મફત વીજળી
એક બે દિવસ નહિ પણ 10 મહિના સુધી જાય છે ઓફિસે
પોતાનો મોબાઈલ ચાર્જ અને ઘરના મસાલા ત્યાજ દળે છે
ઇલેક્ટ્રિસિટી ઓફિસે કરે છે મોબાઈલ ચાર્જ
આમ તો ઘણી વાર વીજળીના તાર પર લંગર મૂકીને વીજળી ચોરી કરવાના કિસ્સાઓ દેશભરમાં સામે આવતા રહે છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ પોતાના અંગત કામ માટે વીજ ચોરીના બદલે ખુલ્લેઆમ ઇલેક્ટ્રિસિટી ઓફિસ જાય છે અને મફત વીજળીનો ઉપયોગ કરે છે. આશ્ચર્ય ન પામશો કારણ કે તે કોઈ ફિલ્મનો સીન નથી પરંતુ કર્ણાટકના એક ખેડૂતનું સત્ય છે, જે પછી આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
કર્મચારીઓ પણ જાણતા હતા
કર્ણાટકના શિવમોગા જિલ્લાના ખેડૂત એમ હનુમનથપ્પા તેમની દૈનિક વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમના ઘરની નજીક સ્થિત મેંગ્લોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડની ઓફિસની મુલાકાત લે છે. વાસ્તવમાં હનુમાનથપ્પા ત્યાંની વીજળીનો ઉપયોગ રસોડામાં વપરાતા મસાલાને દળવા માટે કરી રહ્યા હતા. સાથે જ તે ઇલેક્ટ્રિસિટી ઓફિસમાં પોતાનો ફોન ચાર્જ કરતો હતો અને આ સિલસિલો એક-બે કે થોડા અઠવાડિયા માટે નહીં
10 મહિના સુધી ચાલતો હતો.
ખેડૂતે જણાવ્યું કારણ
અહેવાલ અનુસાર હનુમનથપ્પાએ ઘરમાં વીજળી કનેક્શન માટે અરજી કરી હતી. અનેક રિમાઈન્ડર આપવા છતાં વીજળી ન મળતાં તેઓ ગુસ્સે થઈ ગયા અને તેમણે વીજળી વિભાગના અધિકારીને કહ્યું, 'બસ થયું, હવે ખાતરીથી કંઈ નહીં થાય, હવે તમે સીધો જવાબ આપો કે હું ક્યાં જાઉં અને મારા મસાલાને રસોઈ માટે ગ્રાઇન્ડ કરું અને ફોન પણ ચાર્જ કેવી રીતે કરું.' આ પછી તેમને જવાબ મળ્યો કે MESCOM ઓફિસમાં જઈને તમારા મસાલાને દળી લો. જો કે આ વાત મજાકમાં કહેવામાં આવી હતી, પરંતુ હનુમનથપ્પાએ તેને ગંભીરતાથી લીધી. ત્યારે જ થયું એવું કે તે ઘરેથી સીધો સામાન લઈને મેસકોમની ઓફિસ પહોંચ્યો અને ત્યાં કોઈએ તેને મસાલા દળવાથી કે ફોન ચાર્જ કરવાથી રોક્યો નહીં. આ પછી તેમણે આ કામને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવી લીધું.
ધારાસભ્ય સાથે પણ વાત કરી
હનુમનથપ્પાએ કહ્યું કે તેમણે પોતાની સમસ્યા સ્થાનિક ધારાસભ્યને જણાવી, પરંતુ તો પણ ઘરે વીજળી ન પહોંચી. મામલો એટલો ફેલાઈ ગયો કે આ મામલો વાયરલ થઈ ગયો. આ પછી વીજ વિભાગના 10 જેટલા જુનિયર કર્મચારીઓને નોટિસ ફટકારી જવાબ માગવામાં આવ્યો. વીજળી વિભાગે જણાવ્યું હતું કે એક મહિનાની અંદર હનુમનથપ્પાના ઘરે નવી વીજ લાઇન જોડવામાં આવે. આ સાથે જ વીજચોરીનો અનોખા કિસ્સો પ્રકાશમાં આવ્યો પછી હનુમાનથપ્પાએ ત્યાં જઈને મસાલા દળવાનું બંધ કરી દીધું હતું, પરંતુ હજુ સુધી તેમના ઘરે વીજળી પહોંચી નથી.