ઈંગોરિયા અને તેના ઝાડ જ હવે લૂપ્ત થવાના આરે, જેથી પરંતુ ઈંગોરિયાનું સ્થાન કોકડા લઈ લેશે
સાવરકુંડલાનું સુપ્રસિદ્ધ ઈંગોરિયા યુદ્ધ
ઈંગોરિયા લુપ્ત થવાના આરે
ઈંગોરિયા યુદ્ધ પર તૌકતેની અસર
દિવાળીમાં ઈંગોરીયાની લડાઈની વાત આવે ત્યારે પહેલું નામ સાવરકુંડલાનું સામે આવે. કારણ કે, વર્ષોથી સાવરકુંડલાની ઈંગોરિયા ફાઈટ દિવાળી પર ખુબ જાણિતી છે.. અને લોકો માટે આકર્ષણનું પણ માધ્યમ છે.. પરંતુ હવે સમય સાથે જે ઈંગોરિયાનો લડાઈમાં ઉપયોગ થતો હતો. તે ઈંગોરિયા અને તેના ઝાડ જ હવે લૂપ્ત થવાના આરે પહોંચી ગયાં છે.. જેના કારણે આ વખતે હવે દિવાળીમાં ઈંગોરિયા ફાઈટ નહીં જોવા મળે. જોકે ફાઈટ તો થશે. પરંતુ ઈંગોરિયાનું સ્થાન કોકડા લઈ લેશે.
સાવરકુંડલાની દિવાળીની રાત્રિ જગ વિખ્યાત છે. સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઈંગોરિયાનું યુદ્ધ ખેલાય છે. આ રમત વર્ષો જૂની પરંપરા છે જેને સાવરકુંડલાના યુવાનો નિભાવી રહ્યા છે. આ લડાઈની વાત કરીએ તો દિવાળીના દિવસે સાવરકુંડલાના મણીભાઈ ચોક વિસ્તારમાં નાત જાતના ભેદભાવ વિના સાવરકુંડલાના યુવાનો આ રમત રમે છે. પરંતુ હાલ ઈંગોરીયાનું સ્થાન કોકડાએ લીધું છે. ગંધક,કોલસો સુરોખાર નાખી હર્બલ દારૂ બનાવી આ કોકડામાં નાંખી યુવાનો ખેલ ખેલશે. ઉલ્લેખનીય છે કે ઈંગોરિયાનું ફળ વૃક્ષ પર થાય છે. તૌકતે વાવાઝોડામાં ઈંગોરિયાના અનેક વૃક્ષો નામશેષ થઈ ગયા હતા. તેને કારણે ઈંગોરિયા લુપ્ત થવાના આરે છે. ત્યારે ઈંગોરિયા ચાહકોએ એક નવો નુસ્ખો શોધી કાઢયો છે. હાલમાં ઈંગોરિયાના ચાહકોએ ઈંગોરિયાના બદલે દોરાના ખાલી કોકડા લાવી તેમા હર્બલ દારૂ ભરી તેને તૈયાર કરી હવે ઈંગોરિયાની જગ્યાએ કોકડાની લડાઈ લડવાનું નક્કી કર્યુ છે. આમ સાવરકુંડલાના યુવાનોએ કોઈ પણ ભોગે પોતાની પરંપરા નિભાવી એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.