કોરોના કાળમાં જ્યાં જીવન જીવવાની દરેક રીત પ્રભાવિત થઈ રહી છે, બદલાઈ રહી છે અને ન્યુ નોર્મલ અથવા ન્યુ કોમન ગણાવાઈ રહ્યું છે ત્યારે હકીકતે નવતરને વધાવવામાં આગળ પડતાં અમદાવાદે કોરોના કાળમાં લગ્ન યોજવાના ન્યુ નૉર્મલને પણ નવતર વડે વધાવી લીધું છે.
અમદાવાદના પરિવારનો નવતર પ્રયોગ
ઓનલાઈન યોજાશે લગ્ન સમારોહ
નિર્ણય નગરના પંચાલ પરિવારનો નવતર અભિગમ
આફતને પણ અવસરમાં બદલવાની એક આગવી ઓળખ ગુજરાતીની રહેલી છે જેનું ઉદાહરણ અમદાવાદ ના નિર્ણય નગર માં રહેતા પંચાલ પરિવાર એ કરી બતાવ્યું છે કોરોના ના વધેલા કેસોને લીધે લગ્નમાં 100 લોકો ની પરવાનગી આપવાના સરકારના નિર્ણયને વધાવ્યો છે પરંતુ આ પરિવારે 200 લોકોની ઓનલાઈન હાજરી વડે લગ્ન સમારંભને પાર પાડી શકવાની નવી રાહ બતાવી છે.
ગુજરાતમાં વધી રહ્યા છે કોરોનાના કેસો
હાલમાં અમદાવાદ માં કોરોના ના કેસો ખૂબ વધી રહ્યા છે જેને લઈને ગુજરાત સરકાર દ્વારા પહેલા રાત્રિ કર્ફ્યૂ અને પછીથી બીજા અમુક પગલાઓની અમલવારી કરાવવામાં આવી હતી, જેમાં લગ્ન સમારંભોને લઇને અમલમાં મૂકાયેલા નવા નિયમો પણ સામેલ હતા ત્યારે આ કપરા સમયમાં પણ ખુશીઓને પણ નબળી ન પાડી અને સૌની સલામતી સાથે કઈ રીતે સમારંભ ઉજવી શકાય છે તે અમદાવાદના એક સુજ્ઞ પરિવારે પાર પાડી બતાવ્યું છે.
આ લગ્નની તૈયારી વહેલા કરાઇ હતી અને 200 લોકોને કંકોત્રી દ્વારા આમંત્રિત કરાયા હતા છતાં નાં પાડવાનો વારો આવ્યો હતો જેથી પરિવારે ઓનલાઇન લગ્નમાં પરિવારજનો એ જોડાવવા માટેનું સુંદર આયોજન કર્યું છે
નવી યોજના પ્રમાણે હવે અમદાવાદ માં લગ્ન યોજાશે સાથે જ લગ્નમાં વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે એટલે કે ઓનલાઇન જોડાવવા માટે હવે પરિવારજનોને આમંત્રિત કર્યા છે સાથે જ ચાંદલાની પ્રથા પણ ઓનલાઇન ગૂગલ પે દ્વારા કરવાની રહેશે આમ અમદાવાદ ના આ પરિવારે ન્યુ નોર્મલને નવલા નવતર વડે ઉજવી જાણ્યું છે.