હાથરસના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પર ગેંગરેપ પીડિતાના પરિવારે ઘણા આક્ષેપો કર્યા છે. પીડિતા ના પરિવારજનો એ વહીવટી તંત્ર પર તેમને ધમકી આપવાનો અને દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હાથરસ ના જિલ્લા મેજિસ્ટ્રેટ પીડિતાના પરિવારને ધમકાવતા નજરે પડે છે.
જિલ્લા મેજિસ્ટ્રેટે દબાણ કર્યું હોવાનો લગાવ્યો આરોપ
જો તમારી છોકરી કોરોનામાં મારી ગઈ હોત તો વળતર મળત?: જિલ્લા મેજિસ્ટ્રેટ
હાથરસ ના જિલ્લા કલેક્ટર પ્રવીણ કુમાર પર ગેંગરેપ પીડિતા ના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા હતા. પીડિતા ના પરિવારજનોએ સરકારી તંત્ર પર તેમને ધમકી આપવાનો અને દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.
એક વિડિયોમાં DM પીડિતા પરિવારને ધમકાવતા નજરે પડે છે
એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હાથરસ ના જિલ્લા મેજિસ્ટ્રેટ પીડિતા ના પરિવાર ને ધમકાવતા નજરે પડે છે. હાથરસ ના જિલ્લા મેજિસ્ટ્રેટ કહી રહ્યા છે કે મીડિયા વાળા તો જતાં રહેશે, પરંતુ સરકારી તંત્ર તો અહીં જ રહેવાનું છે, હાથરસના પીડિત પરિવાર નું કહેવું છે કે તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે અને કેસ ને રફે દફે કરી નાખવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
વીડિયોમાં હાથરસ ના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણ કુમાર પીડિત પરિવારને કહી રહ્યા છે કે "તમે તમારો વિશ્વાસ ગુમાવશો નહીં ... અડધા મીડિયા વાળ જતાં રહ્યા છે ... કાલે સવારે બીજા અડધા ચાલ્યા જશે... આવતીકાલે સાંજે બે-ચાર જ વધશે ... અમે તમારી સાથે ઉભા છીએ ... હવે તમારી ઈચ્છા કે તમારે તમારું આપેલું નિવેદન બદલવું છે કે નહીં"
પીડિતા ની ભાભીએ કહ્યું કે અમને કહેવામાં આવ્યું હતું કે જો તમારી છોકરી કોરોના થી મરી ગઈ છે, તો શું ત્યાંને વળતર મળ્યું હોત? અમને ધમકીઓ મળી રહી છે. પીડિતા ના પિતાને ધમકી આપવામાં આવી રહી છે. તે સમયે પરિસ્થિતિ એવી હતી કે જે કંઇપણ ધ્યાનમાં આવ્યું ટે અમે કહ્યું અને હવે આ લોકો અમને અહીં નહીં રહેવા દે.
ADG બોલ્યા, દુષ્કર્મ નથી થયો
દરમિયાન, ADG લો એન્ડ ઓર્ડર (Additional Director General ) પ્રશાંત કુમારે દાવો કર્યો છે કે પીડિતા સાથે દુષ્કર્મ થયું નથી. તેમણે કહ્યું કે ગળામાં ઈજા અને તેનાથી લાગેલ આંચકાને લીધે મહિલાનું મોત થયું હતું. ફોરેન્સિક સાયન્સ લેબ FSL ના અહેવાલ પરથી એ પણ સ્પષ્ટ છે કે તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યો નથી.
પ્રશાંત કુમારે કહ્યું કે, આ ઘટના બાદ મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં પણ દુષ્કર્મ ગુજાર્યો હોવાનું જણાવ્યું નથી. તેણે કહ્યું કે તેમણે ફક્ત તેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સામાજિક સમરસતા બગાડવા અને વંશીય હિંસા ભડકાવવા માટે કેટલાક લોકો તથ્યોની ખોટી રજૂઆત કરી રહ્યા છે. પોલીસે હાથરસ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને હવે અમે તે લોકોની ઓળખ કરીશું જેમણે રાજ્યમાં વાતાવરણ બગાડવાનો અને વંશીય હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો.