કોરોના મહામારીના કારણે હજારો લોકોના મોત થઇ રહ્યાં છે. મોતના વધતા આંકડાની વચ્ચે એક હસતો રમતો પરિવાર ઉજડી ગયો છે.
એક પરિવારની દુઃખદ કહાણી
એક મહિનામાં પરિવાર થયો ખત્મ
મહિલાને પરિવારના સભ્યની કાંધ પણ ન મળી
ચેન્નઇના રહેવાસી રામલિંગમના પરિવાર પર મહામારીની એવી આફત આવી કે જેની આશા કોઇને નહોતી. ગયા મહિને તેમની દીકરીની મોત થઇ ગઇ હતી અને આ મહિનાની શરૂઆતમાં રામલિંગમની મોત થઇ હતી.
દીકરી બાદ પિતાની મોત
નોઇડા સેક્ટર 49માં રહેતા રામલિંગમ મૂળ ચેન્નઇના રહેવાસી હતા. ગયા મહિને તેમની દીકરીનું કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી અને ઇલાજ માટે તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની 20 એપ્રિલના રોજ મોત થઇ ગઇ હતી. તે બાદ રામલિંગમ પણ પોઝીટીવ આવ્યા અને તેમની પણ મોત થઇ ગઇ હતી.
કાંધ આપવા પણ કોઇ મળ્યુ નહી
કોરોનાનો કહેર આ પરિવાર પર એવો વરસ્યો કે દીકરી અને પતિના મોતથી બહાર આવે તે પહેલા રામલિંગમની પત્ની વનિતા પણ કોરોનાથી સંક્રમિત થઇ ગઇ અને બુધવારે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. વનિતાને કાંધ આપવા માટે પરિવારનું કોઇ સભ્ય બચ્યુ જ નહી.
RWA અધ્યક્ષે કર્યો અંતિમ સંસ્કાર
વનિતાના અંતિમ સમય પર કોઇ પરિવારજન ન હોવાના કારણે તેમની લાશને સેક્ટર 94 સ્થિત સ્મશાન ઘાટ લઇ જવામાં આવી ત્યાં સેક્ટર 33 RWAના અધ્યક્ષ પ્રદીપ વોરાએ સાથીઓની મદદથી વનિતાનો અંતિમ સંસ્કાર કર્યો હતો