નર્મદા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં વધુ એક આકર્ષણનું કેન્દ્ર, હાઉસ બોટની પ્રવાસીઓ મજા માણી શકશે.
SOUમાં પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનો ઉમેરો
SOUમાં હવે હાઉસ બોટની સુવિધા
ખાનગી કંપનીએ શરુ કરી સુવિધા
પીએમ મોદીએ કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીનું લોકાર્પણ કર્યુ ત્યારથી લઇને આજ દિન સુધીમાં દેશ વિદેશના લાખો પ્રવાસીઓએ તેની મુલાકાત લઇ ચૂક્યા છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં દિનપ્રતિદિન લાખો પ્રવાસીઓ હરવા ફરવા માટે આવી રહ્યા છે. સરકારની પણ અનેક બેઠકો અને શિબિરો આ સ્થળે થાય છે. અહીં અવનવા નજરાણા જેવા કે જંગલ સફારી, ભુલ ભુલૈયા, ફ્લાવર ગાર્ડન સહિત અનેક પ્રોજેક્ટ બનાવેલા છે. જો કે હજી પણ તેમાં કંઇકને કંઇ નવુ ઉમેરાતું જાય છે ત્યારે SOUમાં પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો.
House Boats in Gujarat?
Yes, you heard it right, Ekta Nagar added one more attraction, now a houseboat for stay at Statue of Unity fame Ektanagar. pic.twitter.com/zWap1vel7s
હાલમાં બાળકોને શાળામાં વેકેશન ચાલી રહ્યુ છે. ત્યારે ગુજરાતના પ્રવાસન સ્થળમાંનુ એક એવુ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. ત્યારે પ્રવાસીઓ માટે હાઉસ બોટની સુવિધા શરુ કરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં ત્રણ નંબરના તળાવ ખાતે ખાનગી કંપની દ્વારા હાઉસ બોટની શરુઆત કરવામાં આવીછે. જેમાં રહેવા, જમવા સહિત તમામ સુવિધાઓ મળશે. પરંતુ બીજી તરફ ચિંતાની વાત એ છે આ તળાવમાં મોટા પ્રમાણમાં મગરો રહે છે તેવામાં હાઉસબોટમાં પ્રવાસીઓની સુરક્ષાને લઇને સવાલો ઉભા થયા છે.
મહાઆરતી અને લેસર શો કરાયા શરુ
ગુજરાતમાં નદી ઉત્સવ,અને સ્વચ્છ્તા અભિયાન સાથે જ વારાણસીમાં જે પ્રકારે સંધ્યા આરતી થાય છે બરાબર તે જ રીતે કેવડિયામાં નર્મદાની મહાઆરતી શરુ કરવામાં આવી છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ કેવડિયામાં 'સ્ટેચ્યુ ઓફ યૂનિટી' માં આવેલા લેઝર શો સાથે સંધ્યા આરતીનો લાભ કઈ શકે તે હેતુસર નર્મદાની મહા આરતી સાંજે 7:30 વાગ્યે યોજાય છે. તેમજ લેસર શો 6.45 કલાકે માણી શકાય છે.
સ્ટેચ્યુ ઑફ યુનિવર્સિટીમાં આકર્ષણના કેન્દ્રો
સ્ટેચ્યુ ઓફ યુનિટિ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. 180 મીટર ઉંચી આ પ્રતિમા ગુજરાતના કેવડિયા શહેરમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ પાસે આવેલી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના પર્યટકોની વધતી સંખ્યા માટે ડિનો ટ્રેલ, તિતલી ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, જંગલ સફારી, ગ્લો ગાર્ડન, ફુડ કોર્ટ, વાઇફાઇ એક્સેસને ક્રેડિટ આપવામાં આવી છે.
કેવી રીતે પહોંચશો સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે તમારે વડોદરા રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધીની ટિકિટ લેવી પડશે. ત્યાંથી તમે બાય રોડ કેવડિયા પહોંચી શકો છો. જો તમે અમદાવાદથી જશો તો તમારે 200 કિમીનુ અંતર કાપવું પડશે. તમે ભરુચ રેલ્વે સ્ટેશન સુધીની કોઇ ટ્રેન પણ લઇ શકો છો. તે પણ કેવડિયાના નજીકના સ્ટેશનમાંથી એક છે. કેવડિયા પહોંચ્યા બાદ તમારે સાધુ આઇલેન્ડ સુધી આવવું પડશે. કેવડિયાથી સાધુ આઇલેન્ડ સુધી 3.35 કિમી લાંબો રાજમાર્ગ બનાવાયો છે. ત્યારબાદ મેઇન રોડથી સ્ટેચ્યુ સુધી 320 મીટર લાંબો બ્રિજ લિંક પણ બનેલો છે.
વિશ્વના મહાન સ્થળોમાં મેળવ્યુ છે સ્થાન
ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને તાજેતરમાં અમેરિકી મેગેઝીન ટાઇમે 2019માં વિશ્વના મહાન સ્થાનોના લિસ્ટમાં જગ્યા આપી. લાખો સહેલાણીઓ અત્યાર સુધી આ ભવ્ય સ્ટેચ્યુને જોવા માટે પહોંચી ચુક્યા છે અને આ સિલસિલો ચાલુ જ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ઘણા એવા ડેસ્ટીનેશન છે જ્યાં તમે નેચર અને એડવેન્ચરની મજા માણી શકો છો. અહીં રિવર રાફ્ટિંગ અને જંગલ સફારી પણ આ ટુરને એડવેન્ચરસ બનાવે છે.