ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર હાલમાં જ ગુજરાત આવ્યા હતા અને તેમણે નર્મદાના જીલ્લાના રાજપીપળા નજીક આવેલા ઢોલાર ગામમાં તળાવ ખાત મૂહર્તમાં આવ્યા હતા અને તેમણે JCB ચલાવીને કામગીરી શરુ કરાવી હતી.
વિદેશમંત્રીએ JCB ચલાવ્યું
ઢોલાર ગામમાં તળાવના ખાતમૂહર્તમાં આવ્યા હતા
તેમણે ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ વિષે પણ વાત કરી હતી
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર નર્મદા જીલ્લાના રાજપીપળા નજીક આવેલા ઢોલાર ગામમાં તળાવના ખાત મૂહર્ત માટે ઉપસ્થિત રહ્યાં હતાં. JCB મશીન ચલાવીને ગામમાં તળાવની કામગીરી શરુ કરાવી હતી. અને આ તળાવનું ખત મૂહર્ત JCB કંપનીના CR ફંડમાંથી તળાવ બનાવાનું કામ શરુ કરવામાં આવ્યુ હતું. તેમણે ચીનમાં ફસાયેલા કોરોના વાયરસ બાબતે પણ વાત કરી હતી.
કોરોના વાયરસ બાબતે વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, અમે લોકો વિદ્યાર્થીઓને પાછા ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આ બાબતે ચીન સરકાર સાથે સતત સંપર્કમાં છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે બધા વિધાર્થીઓ છે તે એકદમ સુરક્ષિત છે. અમે દરેક વિદ્યાર્થી સાથે ફોન અને ઈન્ટરનેટના માધ્યમથી સંપર્કમાં છીએ દરેક લોકો સ્વસ્થ છે.